- Home
- Standard 12
- Chemistry
બિનઆદર્શ દ્રાવણ તેમાં થતા ધન વિચલન અને ઋણ વિચલન દ્વારા સમજાવો.
Solution
– જ્યારે દ્રાવણો સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી તેમને બિનઆદર્શ દ્રાવણ કહે છે.
– આવા દ્રાવણના બાષ્પદબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાનિત કરેલા બાષ્પદબાણ કરતાં વધારે અથવા ઓછું હોય છે. જો તે વધારે હોય તો દ્રાવણ ધન વિચલન દર્શાવે છે અને જો ઓછું હોય તો, રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે.
– ધન વિચલન : રાઉલ્ટના નિયમથી ધન વિચલનની બાબતમાં $A-B$ પારસ્પરિક ક્રિયાઓ $A-A$ અથવા $B-B$ કરતાં નબળી હોય છે. આ કિસ્સામાં આવા દ્રાવણોમાં $A$ અથવા $B$ ના અણુઓ શુદ્ધ અવસ્થા કરતાં વધુ સરળતાથી છટકી શકશે. આ બાષ્પદબાણમાં વધારો કરશે અને ધન વિચલનમાં પરિણમશે.
ઉદાહરણા : ઈથેનોલ અને એસિટોન
– શુદ્વ ઈથેનોલમાં અણુઓ હાઈડ્રોજન બંધિત હોય છે તેમાં એસિટોન ઉમેરવાથી તેના અણુઓ યજમાનની વચ્ચે ગોઠવાય છે અને તેમની વચ્ચેના $H$ બંધ તોડી નાખે છે. પારસ્પરિક ક્રિયા નબળી થવાના લીધે દ્રાવણ ધન વિચલન દર્શાવે છે. અન્ય ઉદાહરણમાં $CS _{2}$ અને એસિટોન