- Home
- Std 12
- Biology
12.Ecosystem
easy
માનવનિર્મિત નિવસનતંત્ર કે કૃત્રિમ નિવસનતંત્રના બે ઉદાહરણો આપો. મુખ્ય વિશેષતાઓ જણાવો કે જે દ્વારા તેઓ કુદરતી નિવસનતંત્રથી જુદાં પડે છે.
Solution
જળચર ગૃહ (માછલીધર) અને ફાર્મહાઉસ એ કૃત્રિમ કે માનવ દ્વારા નિર્મિત નિવસનતંત્રો છે. કૃત્રિમ નિવસનતંત્રમાં જૈવિક અને અજૈવિક ધટકોને કૃત્રિમ રીતે જાળવવામાં આવે છે. જેમ કે માછલીધરમાં માછલીઓને ઓક્સિજનનો પુરવઠો, સફાઈ, ખોરાક આપવો અને પાકમાં કે ફાર્મહાઉસમાં સિંચાઈ કરવામાં આવે છે.
જ્યારે કુદરતી નિવસનતંત્રમાં અજૈવિક કે જૈવિક ઘટકો કુદરતી રીતે જાળવવામાં આવે છે. જેવા કે પોષવાચક્ર, સ્વસ્થિરતા, જમીનનું ધોવાણ, પ્રદૂષકોનું શોપણ અને ગ્લોબલ વોર્મિંગને લીધે ઉત્પન્ન થતાં ભયને ઓછો કરવો (પરિસ્થિતિકીય સેવાઓ) વગેરે.
Std 12
Biology