4.Principles of Inheritance and Variation
normal

કસોટી સંકરણ એટલે શું ? તે શા માટે જરૂરી છે ? 

Option A
Option B
Option C
Option D

Solution

મૅન્ડલ $F_2$ છોડને સ્વફલન કરાવ્યાં તો $F_3$ અને $F_4$ પેઢીમાં માત્ર નીચા છોડ જ ઉત્પન્ન થયા તેથી તેણે તારણ કર્યું કે તે સમયુગ્મી $(tt)$ પ્રકાર હશે.

ગાણિતીય સંભાવનાના પ્રયોગ દ્વારા જનીન પ્રકાર પ્રમાણની ગણતરી કરી શકાય છે પણ માત્ર પ્રભાવી લક્ષણના સ્વરૂપ પ્રકારને જોઈને જનીન પ્રકારની સંરચનાની માહિતી મળતી નથી. ઉદા. $F_1$ અને $F_2$ છોડ $TT / Tt$ છે તેમ જાણી શકાતું નથી.

$F_2$ના ઊંચા છોડના જનીન પ્રકાર નિર્ધારણ માટે $F_2$ના ઊંચા છોડને નીચા છોડ સાથે સંકરણ કરાવ્યું અને કસોટી સંકરણ (test cross) કહે છે.

લાક્ષણિક કસોટી સંકરણના પ્રભાવી સ્વરૂપ ધરાવતા છોડનો જનીન પ્રકારે નક્કી કરવા પ્રચ્છન્ન છોડ સાથે સ્વફલન કરાવવામાં આવ્યું. સજીવોના જનીન પ્રકાર નક્કી કરવા આવા સંકરણની સંતતિઓનું વિશ્લેષણ કરી શકાય છે.

આકૃતિમાં લાક્ષણિક કસોટી સંકરણના પરિણામ દર્શાવવામાં આવ્યા છે. જ્યાં જાંબલી રંગના પુષ્પ $(W)$ સફેદ રંગના પુષ્પ $(w)$ પર પ્રભાવી છે.

એકસંકરણ પ્રયોગના પોતાનાં નિરીક્ષણોના આધારે મેન્ડલે તેના વારસાગમનના આધારે અને તેની સમજણના આધારે બે સામાન્ય નિયમો રજૂ કર્યા. આજે આ નિયમો આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા નિયમો (Principles or Laws of Inheritance) કહેવાય છે. 

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.