અવરોધક $R$ માંથી એ.સી. પ્રવાહ પસાર થાય છે ત્યારે ઉદ્ભવતી વિધુતઊર્જા સમજાવો

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આલેખ પરથી જોઈ શકાય છે કે, $A.C.$ પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ $sine$ વક્ર મુજબ બદલાય છે અને તેને અનુરૂપ ધન અને ઋણ મૂલ્યો ધારણ કરે છે.

આમ, એક પૂર્ણચક્ર દરમિયાન તત્કાલિન પ્રવાહના મૂલ્યોનો સરવાળો શૂન્ય છે તેથી સરેરાશ પ્રવાહ શૂન્ય છે. સરેરાશ પ્રવાહ શૂન્ય છે તેનો અર્થ એવો નથી કે વપરાતો (વ્યય થતો) પાવર શૂન્ય છે અને વિદ્યુતઊર્જાનો વ્યય થતો નથી.

જૂલ ઉષ્મા $I ^{2} R t$ સૂત્ર વડે અપાય છે. આમ, જૂલ ઉષ્મા $I ^{2}$પર આધારિત છે પણ $I$ધન કે ઋણ પર આધારિત નથી.

અવરોધકમાં વ્યય થતો તત્કાલિન પાવર,

$P= I ^{2} R$

$= I _{ m }^{2} R \sin ^{2} \omega t \quad\left[\because I = I _{ m } \sin \omega t\right]$

એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર $\bar{p}$ નું મૂલ્ય,

$\bar{p}=\left\langle I ^{2} R \right\rangle$

$= I _{ m }^{2}\left\langle R \sin ^{2} \omega t\right\rangle= I _{ m }^{2} R \left\langle\sin ^{2} \omega t\right\rangle$

અહીં સરેરાશ માટે - (બાર) અને $\langle\rangle$ સંજ્ઞાઓ વાપરી છે.

$\therefore \bar{p}= I _{ m }^{2} R \left\langle\sin ^{2} \omega t\right\rangle [\because I _{ m }^{2}$ અને $R$ અચળ અચળ છે.$]$

ત્રિકોણમિતિ પરથી,

$\left\langle\sin ^{2} \omega t\right\rangle=\frac{1}{2}(1-\cos 2 \omega t)$

$=\left(\frac{1}{2}-\frac{1}{2} \cos \omega t\right)$ મળે.

પણ $\langle\cos 2 \omega t\rangle=0$ તેથી $\left\langle\sin ^{2} \omega t\right\rangle=\frac{1}{2}$

$\therefore \bar{p}=\frac{1}{2} I _{ m }^{2} R$

$\langle\cos 2 \omega t\rangle=\frac{1}{ T } \int_{0}^{ T } \cos 2 \omega t d t=\frac{1}{ T }\left[\frac{\sin 2 \omega t}{2 \omega}\right]_{0}^{ T }$

$=\frac{1}{2 \omega T}[\sin 2 \omega T-0]=\frac{1}{2 \omega T}[\sin 2 \pi-0]=0$

 

903-s43

Similar Questions

$40\, \Omega$ ના અવરોધને $220 \,V , 50\, Hz$ નું રેટીગ ધરાવતા ઉલટસૂલટ પ્રવાહ ઉદગમ સાથે જોડાવામાં આવેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી $rms$ મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય...... હશે.

  • [JEE MAIN 2022]

$50 \Omega$ નો (શુદ્ધ) અવરોધીય ભારને $V(t)=220 \sin 100 \pi t$ વોલ્ટનો ઉલટસૂલટ વોલ્ટેજ લગાડવામાં આવે છે. મહત્તમ (પીક) મૂલ્યના અડધા મૂલ્ચથી મહત્તમ મૂલ્ચ સુધી પ્રવાહને પહોંચવા માટે લાગતો સમય છે:

  • [JEE MAIN 2024]

આકૃતિ મુજબ પ્રવાહનું વહન શકય છે?

એ.સી.ના એક પૂર્ણ ચક્ર દરમિયાન તત્કાલિન પ્રવાહના મૂલ્યોનો સરવાળો કેટલો હોય છે ? 

કોઈક ક્ષણે એક ઉલટસૂલટ ($ac$) પ્રવાહ નીચે મુજબ આવી શકાય

$i=[6+\sqrt{56} \sin (100 \pi \mathrm{t}+\pi / 3)] \mathrm{A}$ પ્રવાહનું $rms$ મૂલ્ય. . . . . . .$A$ હશે.

  • [JEE MAIN 2024]