- Home
- Standard 12
- Biology
ગર્ભનિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિઓની માહિતી આપો.
Solution
કુદરતી પદ્ધતિઓ અંડકોષ અને શુક્રકોષના સમાગમને દૂર રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. જે નીચે મુજબ છે :
$(i)$ સામયિક સંયમ (periodic abstinence) : યુગલે ઋતુચક્રના $10-17$માં દિવસ દરમિયાન સમાગમ ટાળવો. કારણ આ સમય દરમિયાન અંડપાતની શક્યતા અને ફલનની તકો વધુ હોય છે તેને ક્લન સમયગાળો કહે છે. આ સમય દરમિયાન સમાગમ ન કરવાથી ગર્ભધારણની શક્યતાઓ ઘટે છે.
$(ii)$ બાહ્ય ખૂલન અથવા સંવનન અંતરાલ (coitus interruptus) : આ પદ્ધતિમાં પુરુષ સાથીદાર સમાગમ દરમિયાન વીર્યસ્મલન પહેલા શિશ્નને બહાર કાઢી યોનિમાર્ગની બહાર વીર્યસ્રાવ કરે છે.
$(iii)$ દુગ્ધસ્રાવ ઍમનોરિયા (Lactational amenorrhea) (ઋતુચક્રની ગેરહાજરી) : પ્રસવ પછી ભરપૂર દુગ્ધસ્રાવ દરમિયાન અંડપાત અને તેથી ઋતુચક્ર શરૂ થતું નથી. માટે જેટલા દિવસો સુધી માતા સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે, ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ નહિવત્ છે. આ પદ્ધતિ લગભગ પ્રસૂતિ પછીના છ મહિના સુધી જ અસરકારક હોય છે.
આ પદ્ધતિઓમાં કોઈ દવાઓનો ઉપયોગ થતો ન હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી. જો કે તેની નિષ્ફળતાનું પ્રમાણ ઊંચું હોય છે.
Similar Questions
યાદી$- I$ અને યાદી$- II$ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.
યાદી$-I$ | યાદી $- II$ |
$(a)$ આંતર પટલ | $(i)$ અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે. |
$(b)$ ગર્ભનિરોધક ગોળીઓ | $(ii)$ ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે. |
$(c)$ અંત:ગર્ભાશય ઉપકરણો | $(iii)$ પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી |
$(d)$ દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા | $(iv)$ તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે. |