તટસ્થ પદાર્થને વિધુતભારિત કઈ રીતે કરી શકાય છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

તટસ્થ પદાર્થને વિદ્યુતભારિત કરવા એક પ્રકારનો વિદ્યુતભાર ઉમેરવો કે દૂર કરવો પડે છે.

જો તટસ્થ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ધન વિદ્યુતભારિત અને જે પદાર્થ પર ઈલેક્ટ્રોન જાય તે ઋણ વિદ્યુતભારિત થાય છે.

જે પદાર્થ ઈલેક્ટ્રોન ગુમાવે તેનું દળ થોડા પ્રમાણમાં ધટે છે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તેનું થોડા પ્રમાણ દળ વધે છે.

જે પદાર્થનું વર્ક ફંકશન ઓછું હોય તે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે.

જ્યારે આપણે રેશમના દુકડા સાથે કાચનો સળિયો ઘસીએ છીએ ત્યારે સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમના ટુકડા પર જાય છે તેથી રેશમનું કાપડ ઋણ વિદ્યુતભારિત અને કાચનો સળિયો ધન વિદ્યુતભારિત બને છે.

બે અવાહક પદાર્થોને ઘસવાની ક્રિયામાં નવો વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી તેમજ નાશ પણ પામતો નથી.

Similar Questions

બરુની ગોળી જેવા હલકાં પદાર્થો વિધુતભારિત સળિયા તરફ શાથી ખેંચાય છે ?

$\mathrm{Thales \,of\, Miletus}$ નામના વ્યક્તિએ શેની શોધ કરી ?

ધાતુ પર પ્રેરિત વિદ્યુતભાર ધાતુની અંદર કે તેની સપાટી પર હોય ?

ઓક્સિજન અણુમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી હશે?

વિધુતભારના સંરક્ષણનો નિયમ લખો. તેનું ઉદાહરણ આપો.