- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
થોમસ મોર્ગને આનુવંશિકતાના રંગસૂત્રીય સિદ્ધાંત વિશે શી માહિતી આપી ?
Option A
Option B
Option C
Option D
Solution

થોમસ હન્ટ મોર્ગન (Thomas Hunt Morgan) તથા તેઓના સાથીઓએ આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ અથવા સિદ્ધાંતની પ્રયોગાત્મક ચકાસણી કરી.
લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી.
મોર્ગને ફળમાખી, ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર (Drosophila melanogaster) (આકૃતિ) પર કાર્ય કર્યું. કારણ,
તેને પ્રયોગશાળામાં સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી. તે પોતાનું જીવનચક્ર બે અઠવાડિયામાં પૂર્ણ કરે છે.
તેમાં એક જ મૈથુનથી માખીઓની વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે
તેમાં સ્પષ્ટ લિંગભેદ હતો. નર અને માદાની સહેલાઈથી ઓળખ થઈ શકતી હતી.
આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર હતા જે સૂક્ષ્મદર્શક યંત્રના લૉ-પાવરમાં પણ જોઈ શકાતા હતા.
Standard 12
Biology