રૂપાંતરિત સિદ્ધાંત માટેનું જૈવ રાસાયણિક લાક્ષણીકરણ સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

એવરી, મેક્લિઓડ અને મેકકાર્ટી $(1993-44)$ના સંશોધન પહેલાં પ્રોટીન આનુવંશિક દ્રવ્ય છે તેવી માન્યતા હતી.

ગ્રિફિથના રૂપાંતરિત સિદ્ધાંત (transforming principle)ની જૈવરાસાયણિક પ્રકૃતિનો આ વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો.

ગરમીથી મૃત $S$ કોષોમાંથી શુદ્ધિકૃત જૈવ રસાયણો $(DNA, RNA,$ પ્રોટીન$)$થી તેમણે શોધ્યું કે કયું દ્રવ્ય જીવંત $R$ કોષોને $S$ કોષોમાં રૂપાંતરિત કરે છે. તેમણે દર્શાવ્યું કે $S$ બૅક્ટરિયાનું $DNA$ જ $R$ બૅક્ટરિયાનું રૂપાંતરણ કરે છે.

તેમનાં સંશોધનો દ્વારા માહિતી મળી કે પ્રોટીએઝ કે $RNAase$ ઉત્સેચકોની આ રૂપાંતરણ પર અસર થતી નથી માટે રૂપાંતરિત પદાર્થ પ્રોટીન કે $RNA$ નથી.

પરંતુ $DNAase$ દ્વારા પાચનથી આ પ્રક્રિયા અવરોધાય છે. એનાથી સ્પષ્ટતા થાય છે કે $DNA$ રૂપાંતરણ માટે જવાબદાર જનીન દ્રવ્ય છે.

Similar Questions

ગાફીથના પ્રયોગ પરથી શેના વિશે ખ્યાલ આવી ન શક્યો ?

નીચેનામાંથી ક્યો વિકિરણીય સમસ્થાનિક અનુક્રમે પ્રોટીન તથા $DNA$ ના લેબલ કરવા ટ્રાન્સડેશન પ્રોગમાં વપરાય છે?

આનુવંશિકતાનો એકમ છે.

$DNA$ જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?

  • [NEET 2017]

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$ : $RNA$ ઝડપથી વિકૃતિ પામે છે.

વિધાન $II$ : વાઈરસમાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે અને ટૂંકો જીવનકાળ હોય છે અને ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]