કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં કાર્બન મોનોક્સાઇડ વાયુ વધુ ખતરનાક શા માટે છે ? સમજાવો.
વિવિધ પ્રકારના બળતણના દહન દ્વારા $CO$ અને $CO_2$ વાયુ મુક્ત થાય છે. કાર્બન મોનૉક્સાઇડ ઝેરી છે. જ્યારે કાર્બન ડાયૉક્સાઇડ સ્વભાવે બિનઝેરી છે. કાર્બન મોનૉક્સાઇડ હીમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરીને કાર્બોક્સિહીમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે જેથી તે ઝેરી છે.
આ કાર્બોક્સિહીમોગ્લોબિન એ ઑક્સિહીમોગ્લોબિન કરતા વધુ સ્થાયી છે, $3$ થી $4\%$ સાંદ્રતા ધરાવતું કાર્બોક્સિહીમોગ્લોબિન એ રૂધિરની ઑક્સિજન શોષી રાખવાની ક્ષમતાને ઘટાડે છે. તેને કારણે માથાનો દુઃખાવો, નબળી દૃષ્ટિ, હૃદય અને રક્તવાહિનીઓનાં કાર્યમાં અનિયમન સર્જાય છે. તેનું પ્રમાણ ખૂબ જ વધી જવાથી મૃત્યુ નીપજે છે. કાર્બન ડાયોક્સાઇડ બિનઝેરી છે. તે ખૂબ જ ઊંચી સાંદ્રતાએ જ હાનિકારક છે.
પીવાના પાણીના આંતરરાષ્ટ્રીય ધોરણો વિશે ટૂંકમાં સમજૂતી આપો.
એક ખેડૂત તેના ખેતરમાં જંતુનાશકોનો ઉપયોગ કરી રહ્યો છે. તે તેના ખેતરનો ઉપયોગ માછલીઓના પોષણ માટે જરૂરી ખોરાકના ઉત્પાદનમાં કરે છે. તેને કહેવામાં આવ્યું છે કે માછલીઓ માનવ વપરાશ માટે યોગ્ય નથી કારણ કે માછલીઓના કોષોમાં મોટી માત્રામાં જંતુનાશકો મળી આવ્યા છે. આ કેવી રીતે શક્ય બને ? સમજાવો.
એન્ટાર્કટિકાની ઉપર આવેલા વાતાવરણના ઓઝોન સ્તરમાં ગાબડું કેવી રીતે સર્જાયું ? તેની સમીકરણ સહ રજૂઆત કરો.
નીંદામણ નાશકના ઉપયોગથી સજીવોમાં જોવા મળતી વિપરિત અસરો વિશે ટૂંકમાં જણાવો.
શું તમે તમારા વિસ્તારમાં જળપ્રદૂષણ જોયું છે ? તેને નિયંત્રિત કરવા તમે શું સૂચવો છો ?