હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં સમતલ તરંગનું વક્રીભવન સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

તરંગઅગ્રની વિભાવના (હાઈગેન્સના સિદ્ધાંત) પરથી વક્રીભવનના નિયમો તારવીએ.

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, ધારો કે માધ્યમ$-1$ માધ્યમ$-2$ ને છૂટી પાડતી સપાટી $PP'$ છે.

અને માધ્યમ$-1$ અને માધ્યમ$-2$ માં પ્રકાશની ઝડપ અનુક્રમે $v_{1}$ અને $v_{2}$ છે તથા $v_{2} < v_1$

તથા $AA ^{\prime}$ દિશામાં પ્રસરતું એક સમતલ તરંગઅગ્ર $AB$ એ બે માધ્યમોની આંતર સપાટી પર $i$ જેટલા કોણે આપાત થાય છે.

ધારો કે તરંગઅગ્રને $BC$ જેટલું અંતર કાપતાં લાગતો સમય $\tau$ છે.

$\therefore BC =\nu_{1} \tau$

વક્રિભૂત તરંગનો આકાર નક્કી કરવા, બીજા માધ્યમમાં $A$ બિંદુને કેન્દ્ર તરીકે લઈને $v_{2} \tau$ જેટલી ત્રિજ્યાનો ગોળો દોરીશું. (બીજા માધ્યમમાં તરંગની ઝડ૫ $v_{2}$ છે અને $\tau$ સમયમાં કાપેલું અંતર $v_{2} \tau$ ).

ધારો કે $CE$ એ તરંગઅગ્ર $AB$ પરના બિંદુઓ જે $PP'$ સપાટી પર આવે ત્યારે જે તે બિંદુઓએ દોરેલા ગોળાઓને દોરેલું સ્પર્શીય સમતલ છે જે વક્રીભૂત તરંગઅગ્ર થશે. અહી $AE =v_{2} \tau$ છે.

$\triangle ABC$ અને $\triangle AEC$ માં,

$\sin i=\frac{ BC }{ AC }=\frac{v_{1} \tau}{ AC } \quad \ldots (1)$ અને

$\sin r=\frac{ AE }{ AC }=\frac{v_{2} \tau}{ AC } \quad \ldots (2)$

જ્યાં $i$ અને $r$ એ અનુક્રમે આપાતકોણ અને વક્રીભૂતકોણ છે.

$\therefore$ સમીકરણ $(1)$ અને સમીકરણ $(2)$ નો ગુણોતર લેતાં,

$\frac{\sin i}{\sin r}=\frac{v_{1}}{v_{2}}\dots(3)$

આ સમીકરણ પરથી એક અગત્યનું પરિણામ મળે છે કે, જે $r1 \quad[\because$ પ્રથમ ચરણમાં $i$ વધતું વિધેય છે]

906-s47g

Similar Questions

મૂળભૂત રીતે હાઈગેન્સનો સિદ્ધાંત એ કેવી રચના છે ? 

હાઈગેનનો સિદ્ધાંત ...........ને લાગુ પાડી શકાય.

દશ્ય પ્રકાશ શું છે ? તેના અંગેના જુદા-જુદા મતો લખો.

તરંગ અગ્રનો અર્થ શું થાય?

ઉનાળાની ગરમ રાત્રે હવાનો વક્રીભવનાંક જમીનની નજીક લઘુતમ હશે અને જમીનથી ઉપર ઊંચાઇ સાથે વધતો જોય છે.હાઇગેનના સિદ્વાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જયારે પ્રકાશ કિરણને સમક્ષિતિજ દિશામાં આપાત કરતાં,તે જયારે પ્રસરતું હોય ત્યારે કિરણપુંજ ________

  • [JEE MAIN 2015]