વાતાવરણમાં રહેલા ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સમતાપ આવરણના ઉપરના ભાગમાં ઓઝોન વાયુ $\left(\mathrm{O}_{3}\right)$ આવેલો છે, જે સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી $UV$ વિકિરણોથી રક્ષા આપે છે. આ વિકિરણો માનવજાતના ચામડીના કેન્સર માટે જવાબદાર છે. તેથી ઓઝોન સ્તરને જળવી રાખવું ખૂબ અગત્યનું છે.

સમતાપ આવરણમાં પારજાંબલી કિરણો જ્યારે ડાયક્સિજન $\left(\mathrm{O}_{2}\right)$ અનુ પર પડે છે, ત્યારે તેમાંથી બે મુક્ત ઓક્સિજન પરમાણુઓ બને છે. આ ઑક્સિજન પરમાણુ ડાયઓક્સિજન અણુ સાથે સંયોજાઈ ઓઝોન વાયુ બનાવે છે.

$\mathrm{O}_{2(\mathrm{~g})} \stackrel{\mathrm{UV}}{\longrightarrow} \mathrm{O}_{(\mathrm{g})}+\mathrm{O}_{(\mathrm{g})}$

$\mathrm{O}_{(\mathrm{g})}+\mathrm{O}_{2(\mathrm{~g})} \stackrel{\mathrm{UV}}{\longrightarrow} \mathrm{O}_{3(\mathrm{~g})}$

ઓઝોન ઉષ્માગતિશાસ્ત્ર રીતે અસ્થાયી હોય છે અને ઑક્સિજન અણુમાં વિધટન પામે છે. તેથી ઓઝોન અણુના નિર્માણ અને વિઘટન વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય છે. સમતાપ આવરણમાં રહેલા કેટલાક રસાયકોને કારણો ઓઝોન સુરક્ષા સ્તરનું ક્ષયન થયું છે.

Similar Questions

સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? 

કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં કાર્બન મોનોક્સાઇડ વાયુ વધુ ખતરનાક શા માટે છે ? સમજાવો. 

સલ્ફર ઓક્સાઇડ વધુ ઉત્પન્ન થવાથી થતી હાનિકારક અસરો જણાવો.

જળપ્રદૂષણના મુખ્ય કારણો ક્યા છે ? સમજાવો. 

રજકણ પ્રદૂષકોના પ્રકારો તથા તેના બે ઉદાહરણ આપો.