જુદા-જુદા સંઘાત પ્રાચલ (ઇમ્પેક્ટ-પેરામીટર) માટે $\alpha -$ કણનો ગતિમાર્ગ દર્શાવો અને તેની મદદથી રધરફર્ડે ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા કેટલી નક્કી કરી ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સંધાત પ્રાચલ (ઈમ્પેક્ટ પેરામીટર)એ $\alpha$-કણના પ્રારંભિક વેગસદિશ અને ન્યુક્લિયસના કેન્દ્ર વચ્ચેનું લંબઅંતર છે અને $\alpha$ કણનો ગતિપથ ન્યુક્લિયસ સાથેની અથડામધના સંઘાત પ્રાયલ $b$ પર આધાર રાખે છે.

$\alpha$-કણોની આપેલ કિરણાવલિમાં સંધાત પ્રાચલ $b$ જુદા-જુદા હોય છે. આથી તેના કિરણો જુદી-જુદી સંભાવનાઓથી જુદ્દી-જુદ્દી દિશાઓમાં પ્રકીર્ણન પામે છે જે આકૃતિમાં બતાવેલ છે. કિરણાવલિમાં બધા કણોની ગતિઊર્જા લગભગ સમાન હોય છે.

જે $\alpha$-કણનો સંઘાત પ્રાચલ $b$ નાનો હોય તે ન્યુક્લિયસની વધારે નજીક હોય અને તેનું પ્રકીર્ણન મોટું થાય છે એટલે કે, પ્રકીર્ણન કોણ મોટો હોય છે.

જે $\alpha$-કણ માટે સંઘાત પ્રાચલ લધુતમ $(b = 0)$ હોય તેનું પ્રકીર્ણન $180°$ એટલે કે તેના ગતિપથની દિશા ઊલટાઈ જાય છે જેને સન્મુખ $(Head on)$ સંઘાત કહેવાય છે.

જેમ-જેમ $\alpha$-કણનો સંઘાત પ્રાચલ મોટો થતો જાય છે તેમ-તેમ પ્રકીર્ણન કોણ ઘટતો જાય છે અને મોટા સંઘાત પ્રાચલ માટે $\alpha$-કણ પ્રકીર્ણન પામ્યા સિવાય (ગતિપથમાંથી વિચલન પામ્યા સિવાય) પોતાના મૂળ ગતિપથ પર જ ગતિ ચાલુ રાખે છે. એટલે કે પ્રકીર્ણન કોણ $\theta= 0^o$ હોય છે.

આમ, આપાત કણો પૈકી ખૂબ જ ઓછા કણો પાછા ફેંકાય છે એટલે કે સન્મુખ સંઘાત અનુભવતા -કણોની સંખ્યા નાની છે. આનો અર્થ એ છે કે પરમાણુનું દળ નાના કદમાં કેન્દ્રિત થયેલું છે. આથી રધરફર્ડનો પ્રકીર્ણનનો પ્રયોગ એ ન્યુક્લિયસની ત્રિજયા નક્કી કરવા માટેની શક્તિશાળી રીત છે.

આ પ્રયોગ પરથી રધરફર્ડે ન્યુક્લિયસનું પરિમાણ $10^{-15}\,m$ થી $10^{-14}\,m$ હોવાનું સૂચવ્યું.

908-s35g

Similar Questions

જ્યારે કોઈ દ્રવ્ય પર ક્ષ-કિરણનો સંઘાત કરવામાં આવે કે ક્ષ-કિરણ પાડવામાં આવે ત્યારે (આપાત થાય)

હાઈડ્રોજન પરમાણમાં ઈલેક્ટ્રૉન અને પ્રોટોન વચ્ચેનું ગુરુત્વાકર્ષણ, કુલંબ આકર્ષણ કરતાં $10^{-10}$ ગણું નાનું છે. આ હકીકતને જોવાની એક વૈકલ્પિક રીત, ઈલેક્ટ્રૉન અને પ્રોટોન ગુરુત્વાકર્ષણથી બંધિત હોત તો હાઈડ્રોજન પરમાણુની પ્રથમ બોર કક્ષાની ત્રિજ્યાનો અંદાજ મેળવવાની છે. તમને તેનો ઉત્તર રસપ્રદ લાગશે.

જો ક્ષ-કિરણ ટ્યુબ પર $V$ વૉલ્ટનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે તો તેમાંથી ઉત્સર્જાતા ક્ષ-કિરણની ન્યૂનતમ તરંગલંબાઈ લગભગ કેટલી હશે?

રુથરફોર્ડના પ્રકીર્ણનના પ્રયોગમાં $\alpha $ પ્રકીર્ણનની સ્થિતિમાં અથડામણ પરિમાણ $b = 0$ માટે સાચો ખૂણો કેટલા $^o$ નો હશે?

ધારો કે તમને આલ્ફા-કણ પ્રકિર્ણનનો પ્રયોગ સુવર્ણના વરખને સ્થાને ઘન (Solid) હાઈડ્રોજન વાપરીને કરવાની તક આપવામાં આવે છે. (હાઈડ્રોજન $14\,K $ થી નીચા તાપમાને ઘન હોય છે) તમે કેવાં પરિણામોની અપેક્ષા રાખશો?