પર્યાવરણીય પ્રદૂષણ વિશે ટૂંકો પરિચય આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપણી આસપાસના અનિચ્છનીય ફેરફારોને કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. જે વનસ્પતિઓ, પ્રાણીઓ અને મનુષ્યો માટે હાનિકારક છે.

જે પદાર્થ પ્રદૂષણ ફેલાવે છે તેને પ્રદૂષક કહે છે. આ પ્રદૂષકો, ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય છે. કુદરતસર્જિત અથવા માનવસર્જિત પ્રવૃત્તિઓને કારણે પર્યાવરણમાં પ્રદૂષકોનું પ્રમાણ વધતું જાય છે.

કેટલાક પ્રદૂષકોનું વિઘટન થઈ શકે છે. જેવા કે, શાકભાજીનો કચરો. પરંતુ કેટલાક પ્રદૂષકો ખૂબ જ ધીમું વિઘટન પામે છે, જેથી તે કોઈ પણ પ્રકારનો ફેરફાર પામ્યા વિના દશકાઓ સુધી પર્યાવરણમાં મૂળ અવસ્થામાં જ રહે છે.

જેવા કે, પ્લાસ્ટિક પદાર્થો, ભારે ધાતુઓ, રેડિયોસક્રિય કચરો, $DDT$ તથા અન્ય રસાયણો. આવા પદાર્થો જો એક વાર પર્યાવરણમાં દાખલ થાય ત્યારબાદ તેમને દૂર કરવા મુશ્કેલ છે. આ પદાર્થોનું કુદરતી રીતે વિઘટન થતું ન હોવાથી તેઓ જીવસૃષ્ટિ માટે હાનિકારક છે.

પર્યાવરણીય પ્રદૂષણમાં પ્રદૂષક વિભિન્ન સ્રોતમાંથી ઉત્પન્ન થાય છે. તેઓ હવા દ્વારા, પાણી દ્વારા અથવા જમીનમાં દાટવાથી વહન પામે છે.

Similar Questions

રજકણ પ્રદૂષકોના પ્રકારો તથા તેના બે ઉદાહરણ આપો. 

પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસનું નિર્માણ કેવી રીતે થાય છે ? પ્રક્રિયાસહ સમજાવો.

તાજમહેલ પર એસિડ વર્ષાની અસર સમજાવો. 

ઉદ્દીપકની ગેરહાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર એ એક ધીમી પ્રક્રિયા છે. પરંતુ વાતાવરણમાં આ પ્રક્રિયા સરળતાથી થાય છે. તે કેવી રીતે થાય તે વર્ણવો. $SO_2$ માંથી $SO_3$ ની બનાવટનાં સમીકરણો લખો.

જળ પ્રદૂષણના મુખ્ય કારણો જણાવો.