તાજમહેલ પર એસિડ વર્ષાની અસર સમજાવો.
તાજમહેલની આજુબાજુ વધુ સંખ્યામાં ઉદ્યોગો અને વિદ્યુત મથકો આવેલા છે. જે નીચી ગુણવત્તાવાળ કોલસા, કેરોસીન અને લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. જેના કારણે હવામાં સલ્ફર અને નાઈટ્રોજન ઓક્સાઇડનું પ્રમાણા વધે છે. જેના પરિણામે ઍસિડ વર્ષા થાય છે. જે તાજમહેલના આરસપહાણ સાથે પ્રક્રિયા કરે છે.
$\mathrm{CaCO}_{3}+\mathrm{H}_{2} \mathrm{SO}_{4} \rightarrow \mathrm{CaSO}_{4}+\mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{CO}_{2}$
આમ, આખા વિશ્વને આકર્ષિત કરનાર આ અદ્ભુત સ્મારકને નુક્સાન પહોંચે છે. એસિડ વર્ષાને કારણો આ સ્મારક ધીરે ધીરે વિરુદ્ધ બને છે.
નીચે વિભાગ $-I$ માં આપેલા રજકણ પ્રદૂષકોને, વિભાગ $-II$ માં આપેલ તેના કણો સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$
ધુમાડો |
$(1)$ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન થતી બાપની ઠારણ ક્રિયાથી ઉત્પન્ન થાય છે. |
$(B)$ ધૂળ | $(2)$ બારીક ઘન કણ |
$(C)$ ) ધુમ્મસ | $(3)$ ફેલાયેલ પ્રવાહીનાં કણો અને વરાળના ઠારણથી ઉત્પન્ન થાય. |
$(D)$ ધૂમ | $(4)$ કાર્બનિક પદાર્થનાં દહનથી ઉત્પન્ન થતા ઘન અને પ્રવાહી કણોનું મિશ્રણ. |
ગામની નજીક એક કારખાનું શરૂ કરવામાં આવ્યું. તરત જ ગામના રહીશોને વાતાવરણમાં અનિચ્છનીય વાયુના અનુભવ થવા લાગ્યા અને તેને કારણે માથાનો દુખાવો, છાતીનો દુખાવો, શરદી, ગળું સૂકાવું, શ્વાસની તકલીફો વધવા લાગી. ગામના રહીશો આ તકલીફ માટે કારખાનાની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને કારણભૂત બતાવવા લાગ્યા. ત્યાં શું થયું હશે તે વર્ણવો અને તમારી સમજૂતીને લગતા રાસાયણિક સમીકરણ આપો.
એક માણસ મ્યુનિસિપાલિટીમાંથી આવતું પાણી વાપરે છે. પાણીની અછતને કારણે તે જમીન નીચે સંગ્રહ કરેલું પાણી વાપરે છે. તેને વિરેચક અસર વર્તાય છે. તો તેનાં કારણો શું હોઈ શકે ?
ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે અસર કરે છે - સમજાવો.
જુદા જુદા કીટનાશકોની સજીવો પર થતી અસરો વિશે નોંધ લખો.