ગ્લોબલ વોર્મિંગનો વેગ ઘટાડવા અને તેની અસર ઓછી કરવા આપણે શું કરવું જોઈએ ?
અશ્મિગત બળતણના દહનથી, જંગલો તથા વૃક્ષોને કાપવાથી વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુઓનો ઉમેરો થાય છે. જેથી ગ્લોબલ વૉર્મિંગ સર્જાય છે. જેને અટકાવવાના કેટલાક ઉપાયો નીચે મુજબ છે :
$(i)$ રસાયણો તેમજ અન્ય વસ્તુ જે ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર છે તેમનો ક્ષમતાપૂર્વક યોગ્ય ઉપયોગ કરવો. જે વાતાવરણનું તાપમાન ઘટાડે છે.
$(ii)$ વાહનોનો ઉપયોગ ઘટાડવો. જેમ કે સાઇકલ, જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરવો અથવા વ્યક્તિગત પ્રવાસના બદ્હે સહિયારો પ્રવાસ કરવો.
$(iii)$ વધુ વૃક્ષો ઉછેરી હરિત આવરણ વધારવું. સૂકાં પાંદડાં કે લાકડાંને બાળવા નહી.
$(iv)$ જાહેર સ્થળોએ ધૂમ્રપાન ન કરવું.
$(v)$ ઘણી વ્યક્તિઓને હજુ ગ્રીન હાઉસ અને ગ્લોબલ વોર્મિગ અંગે સમજ નથી તેઓને આ માહિતી અવગત કરવા.
ઍસિડ વર્ષા ભારતમાં રહેલી મૂર્તિઓ અને સ્મારકોને કેવી રીતે નુકસાન કરે છે ?
ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓની યાદી તૈયાર કરો.
કાર્બન ડાયોક્સાઇડ વાયુ કરતાં કાર્બન મોનૉક્સાઇડ વાયુ વધુ ખતરનાક શા માટે છે ? સમજાવો.
ક્ષોભ-આવરણીય પ્રદૂષણને લગભગ $100$ શબ્દોમાં સમજાવો.
પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનાં સ્રોત જણાવો.