હરિત ઇંધણ એટલે શું ? કચરાના પુનર્ચક્રણ વિશે માહિતી આપો.
પ્લાસ્ટિકના કચરામાંથી મળતા ઈંધણનો ઑક્ટન આંક ઊંચો હોય છે. તેમાં લૅડ હોતું નથી. આથી તે ‘હરિત ઈંધણ' તરીકે ઓળખાય છે.
રસાયણ અને કાપડ ઉદ્યોગમાં થયેલા આધુનિક વિકાસને કારણે હવે પુનચક્રિત પ્લાસ્ટિકના વસ્ત્રો બની શકે છે. હાલમાં એવી ટેક્નોલૉજીનો વિકાસ કરવામાં આવ્યો છે કે જેના દ્વારા કચરામાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. જેમાં કચરામાંથી લોખંડ, પ્લાસ્ટિક, કાચ, કાગળ વગેરેને અલગ કરી બાકી રહેલા ભાગને પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. તેમાં બૅક્ટરિયાનો કેટલોક જથ્થો ઉમેરવામાં આવે છે. જે મિથેન ઉત્પન્ન કરે છે, તેને બાયોગૅસ તરીકે ઓળખાય છે.
બાયોગૅસ વીજળી ઉત્પન્ન કરવામાં વપરાય છે અને તેની ઉપનીપજ ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.
ઘરેલું કચરાને કેવી રીતે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકશો ?
રજકણ પ્રદૂષકોની પર્યાવરણ પર થતી અસરો ટૂંકમાં લખો.
જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું ?
લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન આપે છે છતાં પણ કાર્બન ડાયોક્સાઇડને ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર ગણવામાં આવે છે. - શાથી ?
હરિત ઇંધણ એટલે શું ?