- Home
- Standard 10
- Science
વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે ? આ પ્રક્રિયાઓ માટેનાં સમીકરણો લખો.
Solution
વિઘટન પ્રક્રિયામાં એક જ (એકલ) પ્રક્રિયક તૂટીને વધુ સરળ બે કે તેથી વધુ નીપજો આપે છે.
જ્યારે, સંયોગીકરણ પ્રક્રિયા એ એવી પ્રક્રિયા છે કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નીપજનું નિર્માણ થાય છે.
આથી, વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કરતાં વિરુદ્ધ કહેવાય છે જે નીચેના ઉદાહરણો પરથી સ્પષ્ટ કરી શકાય છે.
દા.ત.,
$(i)$ $2{H_{2(g)}} + {O_{2(g)}}\xrightarrow{{Combination}}2{H_2}{O_{(l)}}$
$2{H_2}{O_{(l)}}\xrightarrow{{{\text{ Electroly}}sis}}2{H_{2(g)}} + {O_{2(g)}}$
$(ii)$ $Ca{O_{(s)}} + C{O_{2(g)}}\xrightarrow{{Combination}}CaC{O_{3(s)}}$
$CaC{O_{3(s)}}\xrightarrow{{{\text{ }}\Delta \,\,{\text{(heat) Electroly}}sis}}Ca{O_{(s)}} + C{O_{2(g)}}$