શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે ? સમજાવો.
દરેક પ્રકારના સજીવોને જીવિત રહેવા માટે ઊર્જાની જરૂર પડે છે આ ઊર્જા સજીવને તેના ખોરાકમાંથી મળે છે.
પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. આ સરળ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે.
આ ગ્લુકોઝ શરીરના કોષોમાં રહેલા ઑક્સિજન સાથે સંયોજાઇને ઊર્જા પૂરી પાડે છે. આવી પ્રક્રિયાને વિશિષ્ટ રીતે શ્વસન કરે છે જેમ કે,
${C_6}{H_{12}}{O_{6(aq)}}{\kern 1pt} + 6{O_{2(g)}} \to 6C{O_{2(g)}} + 6{H_2}{O_{(l)}} + $ ઉર્જા
ગ્લુકોઝ ઑક્સિજન
આમ, ઉપરોક્ત શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉદ્ભવતી હોવાથી તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે.
એવી વિઘટન પ્રક્રિયાઓના એક-એક સમીકરણ દર્શાવો કે જેમાં ઊર્જા-ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે.
સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે ? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ ?
મૅગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતાં પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે ?
આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉમેરતાં શું થાય છે ? સાચા જવાબ પર નિશાન કરો.
''ક્ષારણ'' ને એક ઉદાહરણ સહિત સમજાવો.