શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે ? સમજાવો.
દરેક પ્રકારના સજીવોને જીવિત રહેવા માટે ઊર્જાની જરૂર પડે છે આ ઊર્જા સજીવને તેના ખોરાકમાંથી મળે છે.
પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. આ સરળ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે.
આ ગ્લુકોઝ શરીરના કોષોમાં રહેલા ઑક્સિજન સાથે સંયોજાઇને ઊર્જા પૂરી પાડે છે. આવી પ્રક્રિયાને વિશિષ્ટ રીતે શ્વસન કરે છે જેમ કે,
${C_6}{H_{12}}{O_{6(aq)}}{\kern 1pt} + 6{O_{2(g)}} \to 6C{O_{2(g)}} + 6{H_2}{O_{(l)}} + $ ઉર્જા
ગ્લુકોઝ ઑક્સિજન
આમ, ઉપરોક્ત શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉદ્ભવતી હોવાથી તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય છે.
ઑક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે ''રિડક્શન'' નાં બે ઉદાહરણ સહિત સમજાવો.
નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક-અવસ્થાઓની સંજ્ઞા સહિતના સમતોલિત રાસાયણિક સમીકરણ લખો :
$(i)$ બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલાં દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે.
$(ii)$ સોડિયમ હાઇડ્રૉક્સાઇડ દ્વાવણ (પાણીમાં) હાઇડ્રોક્લોરિક ઍસિડના દ્રાવણ (પાણીમાં) સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે.
આકૃતિમાં દર્શાવ્યા સિવાયની કોઈ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો.
સિલ્વરના શુદ્ધીકરણમાં કૉપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો.
નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :
$(i)$ હાઇડ્રોજન $+$ ક્લોરિન $\to $ હાઇડ્રોજન ક્લોરાઇડ
$(ii)$ બેરિયમ ક્લોરાઇડ $+$ ઍલ્યુમિનિયમ સલ્ફેટ $\to $ બેરિયમ સલ્ફેટ $+$ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ
$(iii)$ સોડિયમ $+$ પાણી $\to $ સોડિયમ હાઇડ્રૉક્સાઇડ $+$ હાઇડ્રોજન