ઓઝોન ઝેરી વાયુ છે અને પ્રબળ ઓક્સિડેશનકર્તા છે. છતાં પણ સમતાપ આવરણમાં તે જરૂરી છે. જો સમતાપ આવરણમાંથી તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય તો શું થાય - સમજાવો.
પૃથ્વીના વાતાવરણમાં આવેલા સમતાપ આવરણમાં આવેલ ઓઝોન એ કુદરતી બક્ષિસ છે. પૃથ્વીની સપાટીથી $20$ થી $35 \mathrm{~km}$ સુધીના વિસ્તારમાં ઓઝોન સ્તર વિસ્તરેલું છે. સૂર્યમાંથી નીકળતા હાનિકારક પારજંબલી કિરણોથી ઓઝોન સ્તર પૃથ્વીને બચાવે છે.
ઓઝોન સ્તરમાં ગાબડું એ સમગ્ર જીવસૃષ્ટિ માટે હાનિકારક છે. ઓઝોનની માત્રામાં $5\%$ જેટલા ધટાડાને કારણે ચામડીના કૅન્સરમાં $20 \%$ જેટલો વધારો થઈ શકે છે. આંખના રોગ જેવા કે આંખમાં મોતિયો આવવો જેવા રોગ માટે પારજાંબલી કિરણ પણ જવાબદાર છે.
તેના કારણે આનુવંશિક પરિવર્તન આવે છે અને પાકને પણ્ નુક્સાન થાય છે. તથા તે બીજ વનસ્પતિને પણ નુક્સાન પહોંચાડે છે. પારજાંબલી કિરણો જળ જવસૃષ્ટિ તથા જળચર વનસ્પતિને પણ અસર કરે છે.
શું તમે તમારા પડોશી વિસ્તારમાં જમીનનું પ્રદૂષણ જોયું છે ? જમીન પ્રદૂષણને નિયંત્રિત કરવા તમે કેવા પ્રયત્નો હાથ ધરશો ?
સલ્ફર ઓક્સાઇડ વધુ ઉત્પન્ન થવાથી થતી હાનિકારક અસરો જણાવો.
જૈવ-વિઘટનીય કચરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ?
સલ્ફરનાં ઓક્સાઇડ સંયોજનો વડે થતું ક્ષોભ-આવરણીય પ્રદૂષણ સમીકરણ સહિત સમજાવો.
ખાલી જગ્યા પૂરો :
$(1)$ કાર્બન ડાયોક્સાઇડ ................. આવરણમાં જોવા મળે છે.
$(2)$ કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ .... માટે જવાબદાર છે.
$(3)$ એરકન્ડિશનરમાં ..... વાયુ વપરાય છે.
$(4)$ એસિડ વર્ષોથી .... સ્મારકને (અજાયબી) નુકસાન પહોંચે છે.