લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન આપે છે છતાં પણ કાર્બન ડાયોક્સાઇડને ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર ગણવામાં આવે છે. - શાથી ?
કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંના કુદરતી ધટક છે અને તે વનસ્પતિના તમામ સ્વરૂપો માટે આવશ્યક છે. તેનું પ્રમાણ આશરે વાતાવરણના કદના $0.033 \%$ જેટલુ છે. જીવનસૃષ્ટિ માટે જરૂરી તાપમાન જાળવવા તે મદદરૂપ છે.
વાતાવરણમાં $\mathrm{CO}_{2}$ નું પ્રમાણ જળવાઈ રહે છે. કારણ કે તે શ્વસન દરમિયાન અશ્મિગત બળતણના દહનથી ચૂનાના પથ્થરના વિઘટન દ્વારા મુક્ત થાય છે પરંતુ સાથે સાથે તે વનસ્પતિ દ્વારા પ્રકાશસંશ્લેપણ દરમિયાન વપરાય છે.
જોકે માનવ પ્રવૃત્તિઓ દ્વારા આ સંતુલનને ખલેલ પહોંચે છે અને વાતાવરણમાં $\mathrm{CO}_{2}$ નું સ્તર વધી જાય છે. આમ થવાનું કારણ વધુ પડતો અશ્મિગત બળતણનો ઉપયોગ, જંગલોનો નાશ અને ઔદ્યોગિકરણ છે. એવું અનુમાન કરવામાં આવ્યું છે
કે છેલ્લી સદીમાં લગભગ $25 \%$ જેટલુ $\mathrm{CO}_{2}$ નું પ્રમાણ વધ્યું છે.
લગભગ છેલ્લા $120$ વર્ષ દરમિયાન પૃથ્વીના તાપમાનમાં લગભગ $0.4^{\circ} \mathrm{C}$ થી $0.8^{\circ} \mathrm{C}$ સુધીનો વધારો જોવા મળ્યો છે.
વર્તમાન અંદાજ પ્રમાણે $\mathrm{CO}_{2}$ ની માત્રા બમણી કરવાથી $1.0^{\circ} \mathrm{C}$ થી $3.5^{\circ} \mathrm{C}$ જેટલો તાપમાનમાં વધારો થશે. ગ્રીન હાઉસ અસરમાં $\mathrm{CO}_{2}$ નો ફાળો $50 \%$ જેટલો છે જ્યારે બીજા બધા વાયુઓનો ફાળો પણ $50 \%$ જેટલો છે.
રજકણ પ્રદૂષકોની પર્યાવરણ પર થતી અસરો ટૂંકમાં લખો.
ઉદ્દીપકની ગેરહાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર એ એક ધીમી પ્રક્રિયા છે. પરંતુ વાતાવરણમાં આ પ્રક્રિયા સરળતાથી થાય છે. તે કેવી રીતે થાય તે વર્ણવો. $SO_2$ માંથી $SO_3$ ની બનાવટનાં સમીકરણો લખો.
ક્લોરોફ્લોરોકાર્બન સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોન સ્તરને પાતળું કેવી રીતે બનાવે છે. તે તેની સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા સમજાવો.
તાજમહેલ બચાવવા સરકાર દ્વારા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે ?
$PCBs$ ના બે ઉપયોગો લખો.