ટૂંક નોંધ લખો : $\rm {RNA}$ ની રચના તથા પ્રકાર
$RNA$ (રિબોન્યુક્લિઇક ઍસિડ) ત્રણ ઘટકો ધરાવે છે : પેન્ટોઝ શર્કરા (રિબોઝ), નાઇટ્રોજન બેઇઝ $(A, C, G, U)$ અને ફૉસ્ફટ અણુ.
$RNA$ પ્રથમ નિર્મિત જનીન દ્રવ્ય છે. જીવનની આવશ્યક ક્રિયાઓ જેવી કે ચયાપચય, ભાષાંતર, જોડાણકર્તા - Splicing, $RNA$ અંતર્ગત ક્રિયાશીલ હોય છે.
$RNA$ ઉત્સેચક તરીકે વર્તે છે. કારણ $2'-OH$ સમૂહ રિબોન્યુક્લિઓટાઇડમાં ક્રિયાશીલ છે. જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્ત્વપૂર્ણ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ છે જે $RNA$ ઉત્સેચક દ્વારા થાય છે, પ્રોટીન ઉત્સેચકોનો તેમાં ફાળો હોતો નથી.
$RNA$ ઉત્સેચક હોવાના કારણે અસ્થાયી છે તેથી તેના રાસાયણિક રૂપાંતરણથી $DNA$ની ઉત્પત્તિ થઈ જે સ્થાયી છે. $DNA$ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલોના કારણે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતાં પરિવર્તન પ્રત્યે પ્રતિરોધી છે.
નીચેનામાંથી કેટલા સજીવોમાં $RNA$ જનીનદ્રવ્ય તરીક વર્તે છે ?
$TMV,$ માનવ, બેકટેરિયા,$QB$ બેકટેરિયોફેઝ, બેકટેરિયોફેઝ લેમ્ડા, યીસ્ટ, મકાઈ, $\phi \times 174$ બેકટેરિયોફેઝ, રિટ્રોવાયરસ
ગ્રિફિથના પ્રયોગમાં મૃત ઉદરમાંથી કયાં નવા બેકટેરિયા મળ્યા ?
એવરી, મેકકાર્ટી અને મેકલી ઓડ એ એમના પ્રયોગમાં..... ઉત્સેચક નો ઉપયોગ કર્યો હતો.
$DNA$ એ જનીન ઘટક છે તેનો મજબુત પૂરાવો ......માંથી આવ્યો છે
જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....