સ્ત્રીકેસરચકની $( \mathrm{Gynaecium} )$ રચના અને પ્રકારો વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\Rightarrow$ સ્ત્રીકેસરચક્ર : સ્ત્રીકેસર એ પુષ્પનો માદા પ્રજનન તંત્રનો ભાગ છે અને એક કે વધુ સ્ત્રીકેસરનો બનેલો છે.

$\Rightarrow$ સ્ત્રીકેસર ત્રણ ભાગો ધરાવે છે.

$\Rightarrow$ પ્રત્યેક સ્ત્રીકેસરના પાયાના ભાગે પોલી કોથળી જેવું બીજાશય (Ovary) હોય છે.

$\Rightarrow$ બીજાશયમાંથી ટોચના ભાગે લંબાયેલી નલિકાકાર પરાગવાહિની (Style) હોય છે.

$\Rightarrow$ પરાગવાહિનીના ટોચના ભાગને પરાગાસન (stigma) કહે છે.

$\Rightarrow$ પરાગવાહિનીની સપાટી પરાગરજ માટે ગ્રહણશીલ હોય છે.

$\Rightarrow$ બીજાશયના પોલાણમાં જરાય સાથે જોડાયેલાં એક કે વધુ બીજાંડ (અંડક) (Ovule) આવેલાં હોય છે. જે સપાટ ગાદી જેવા જરાયુથી જોડાયેલા હોય છે.

$\Rightarrow$ સ્ત્રીકેસરચક્રના પ્રકારો (Types of Gynaecium) : સ્ત્રીકેસરચક્રમાં એક જ સ્ત્રીકેસર હોય તો તેને એકસ્ત્રીકેસરી (Monocarpellary) કહે છે. ઉદા., વટાણા

$\Rightarrow$ સ્ત્રીકેસરમાં એકથી વધારે સ્ત્રીકેસર હોય તો તેને બહુસ્ત્રીકેસરી (Polycarpellary) કહે છે. ઉદા., જાસૂદ, ધતુરો

$\Rightarrow$ બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસરચક્રમાં જો બધાં સ્ત્રીકેસર એકબીજાથી મુક્ત રહે તો તેને મુક્તસ્ત્રીકેસરી (Apocarpous) કહે છે. ઉદા. , કમળ, ગુલાબ વગેરે.

$\Rightarrow$ જો બધા સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલાં હોય તો તેને યુક્તસ્ત્રીકેસરી (Syncarpous) કહે છે. આવા કિસ્સામાં બીજાશય એક જ હોય છે. ઉદા., ધતૂરો, જાસૂદ વગેરે.

$\Rightarrow$ સ્ત્રીકેસર માદા રચના ગણાય છે.

$\Rightarrow$ પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર લિંગી પ્રજનન માટે જરૂરી છે, તેથી તેઓને આવશ્યક પુષ્પચક્રો હોય છે.

$\Rightarrow$ ફલન બાદ અંડક બીજમાં વિકસે છે અને બીજાશય ફળમાં પરિણમે છે.

Similar Questions

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ (પ્રાણી) કોલમ - $II$ (પ્રજાતિઓ)
$P$ ધારાવર્તી $I$ ડાયેંથસ, પ્રિમરોઝ
$Q$ અક્ષીય $II$ સૂર્યમુખી ,ગલગોટા
$R$ ચર્મવર્તી $III$ વટાણા
$S$ મુક્ત કેન્દ્રસ્થ $IV$ લીંબુ, જાસુદ, ટામેટા
$T$ તલસ્થ  $V$ રાઈ, દા३ડી

પુષ્પનું પ્રજનન ચક્ર

બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.

નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :

મુક્તસ્ત્રીકેસરી અને યુક્તસ્ત્રીકેસરી બીજાશય 

પુષ્પીય લક્ષણોનો આવૃત બીજધારીમાં ઓળખ માટે ઉપયોગ થાય છે કારણ કે ………..

  • [AIPMT 1998]