3. Metals and Non-metals
hard

રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો. 

Option A
Option B
Option C
Option D

Solution

રાસાયણિક ગુણધર્મો ધાતુ અધાતુ
આયનનું નિર્માણ

તેઓ વિદ્યુત ધન તત્ત્વો હોવાથી, ઇલેક્ટ્રૉન ગુમાવીને ધનાધન બનાવે છે.

દા.ત., $Na \rightarrow Na ^{+}+ e ^{-}$

તેઓ વિદ્યુત ઋણ તત્ત્વો હોવાથી તે ઇલેક્ટ્રૉન મેળવીને ઋણાયન બનાવે છે.

દા.ત., $Cl + e ^{-} \rightarrow Cl ^{-}$

આયનો ગુમાવવા 

તેમના સંયોજનોના વિદ્યુતવિભાજન દરમિયાન તેઓ કૅથોડ પરથી આયનો ગુમાવે છે.

કૅથોડ પર

$Na ^{+}+ e ^{-} \rightarrow Na$

(ધનાયન)

તેમના સંયોજનોના વિદ્યુતવિભાજન દરમિયાન તેઓ કૅથોડમાંથી મુક્ત થાય છે. (અથવા હાઇડ્રોજન) 

કૅથોડ પર

$2 H ^{+}+2 e ^{-} \rightarrow H _{2}(g)$

(ધનાયન)

રિડક્શનકર્તા અથવા ઑક્સિડેશનકર્તા  

તેઓ રિડક્શનકર્તા હોવાથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન પ્રદાન કરે છે.

તેઓ ઑક્સિડેશનકર્તા હોવાથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તે ઈલેક્ટ્રૉનનો સ્વીકાર કરે છે.

ઑક્સાઇડનો સ્વભાવ

ધાત્વિક ઑક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. તેમાંથી કેટલાક પાણીમાં દ્રાવ્ય થઈને બેઝિક દ્રાવણ બનાવે છે.

દા.ત., બેઝિક ઑક્સાઇડ : $K _{2} O ,\, Na _{2} O , \,CaO , \,MgO$ અને $CuO$

ઉભયગુણી ઑક્સાઇડ : $Al _{2} O _{3},\, PbO$ અને $ZnO$

અધાતુના ઑક્સાઇડ સ્વભાવે ઍસિડિક હોય છે. તેમાંના કેટલાક પાણીમાં દ્રાવ્ય થઈને ઍસિડિક દ્રાવણ બનાવે છે.

દા.ત., ઍસિડિક ઑક્સાઇડ : $CO _{2}, SO _{2}, \,SO _{3},\, NO _{2}$ અને $P_2O_5$

તટસ્થ ઑક્સાઇડ : $CO ,\, NO , \,N _{2} O$ અને $H_2O$

એસિડ સાથે પ્રક્રિયા

સક્રિય ધાતુ તત્ત્વો મંદ $HCl/H_2SO_4$ સાથે પ્રક્રિયા કરી ધાત્વીય ક્ષાર અને $H_2$ વાયુ બનાવે છે. 

$M +2 HCl \rightarrow MCl _{2}+ H _{2}( g )$

અધાતુ તત્ત્વો એ મંદ ઍસિડ સાથે પ્રક્રિયા કરી શકતા નથી. આમ તેઓ ઍસિડમાંથી $H^+$ આયનનું વિસ્થાપન કરીને ક્ષાર બનાવી શકતા નથી.
હાઇડ્રાઇડનું નિર્માણ

બધા જ ધાતુ તત્ત્વો હાઇડ્રોજન સાથે સંયોજાઈને હાઇડ્રાઇડ બનાવે છે

(અપવાદ $Na$, $K$, $Ca$ જેવી સક્રિય ધાતુઓ)

બધા જ અધાતુ તત્ત્વો હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ બનાવે છે.

Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.