તમને એક હથોડી, બૅટરી, ગોળો, તાર અને સ્વિચ આપેલા છે.

$(a)$ તમે તેમનો ધાતુઓ અને અધાતુ વચ્ચે ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકશો ?

$(b)$ ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a) $ આપેલા નમૂનાઓનો ધાતુઓ અને અધાતુ વચ્ચેનો ભેદ પારખવા માટે હથોડીનો ઉપયોગ કરવામાં આવે છે. તે માટે નમૂનાઓને જો હથોડી વડે ટીપવામાં આવે ત્યારે જો તે પાતળા પતરામાં ફેરવાઈ જાય તો તે નમૂનો ધાતુ છે તેવું કહેવાય અને જો તે નમૂનો પાતળા પતરામાં ન ફેરવાય તો તે અધાતુ છે તેવું કહેવાય, એટલે કે ધાતુઓ એ ટિપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે, જ્યારે અધાતુ આવો ગુણધર્મ ધરાવતો નથી.

તેવી જ રીતે નમુનાને હથોડી વડે ટીપતાં જો રણકાર (અવાજ) ઉત્પન્ન થાય તો તે નમૂનો ધાતુ છે અને જો તેમાં રણકાર ઉત્પન્ન ન થાય તો તે અધાતુ છે, એટલે કે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે.

તેવી જ રીતે અન્ય એક પદ્ધતિમાં બૅટરીનો ઉપયોગ કરીને પણ નમૂનાઓને ધાતુઓ અથવા અધાતુઓમાં અલગ કરી શકાય છે.

તે માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતીય પરિપથની ગોઠવણ કરવામાં આવે છે અને જે નમૂનાઓની ચકાસણી કરવાની હોય તેમને પરિપથમાં $A$ અને $B$ છેડાઓ વચ્ચે ક્લિપ મારફતે જોડવામાં આવે છે.

આ દરમિયાન જો પરિપથમાંનો બલ્બ ચાલુ થાય તો તે નમૂનો ધાતુ (વિદ્યુત સુવાહક) છે તેમ કહેવાય અને જો બલ્બ ચાલુ ન થાય તો આપેલ નમૂનો અધાતુ (વિદ્યુત અવાહક) છે તેવું કહેવાય.

$(b) $ ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરી શકાય છે કે - સામાન્ય રીતે ધાતુઓ ટિપાઉપણાનો ગુણધર્મ ધરાવે, રણકારનો ગુણધર્મ ધરાવે છે અને વિદ્યુત તેમજ ઉષ્માના સુવાહક હોય છે.

જયારે અધાતુઓ ટિપાઉ નથી તેમજ રણકાર ઉત્પન્ન કરતી નથી અને વિદ્યુતની અવાહક હોય છે.

1066-s20(a)

Similar Questions

રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો. 

આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે ?

ધાતુને તેના ઑક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે ?

કારણ આપો : પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે.

જ્યારે આયર્ન$(II) $ સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો ? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો.