એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.
પ્રાયોગિક રીતે $pH$ ના મૂલ્ય ઉપરથી ઓસિડ-બેઈઝની પ્રબળતા નક્કી કરાય છે.
સૈદ્ધાંતિક રીતે એસિડના વિયોજન (આયનીકરણ) ની માત્રા (પ્રમાણા)નો આધાર $H-A$ બંધની પ્રબળતા અને ધ્રુવીયતાની ઉપર હોય છે, જેનાથી $[H$ $\left.{ }^{+}\right]$અને પ્રબળતા નિશ્ચિત થાય છે.
$(i)$ "જે $\mathrm{H}-\mathrm{A}$ બંધની પ્રબળતા ઘટે તો આ બંધ તોડવા જરૂરી ઊર્જા ઘટે છે અને ઝસિડ $\mathrm{HA}$ ની પ્રબળતા વધે છે.
$(ii)$ પરમાણુ $\mathrm{H}$ અને $\mathrm{A}$ ની વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત વધે તો $\mathrm{H}-\mathrm{A}$ બંધ વધારે ધ્રુવીય બને છે, વીજભારનું અલગીકરણ વધे છે અને $\mathrm{H}-\mathrm{A}$ બંધને તોડવાનું સરળ બને છે; જેના પરિણામે એસિડિકતા વધે છે. આમ બંધની ધ્રુવીયતા $\alpha$ વિદ્યુતઋણતાનો તફાવત $\alpha$ ઍસિડિક્તા
$(iii)$ એક જ આવર્તમાં $H-A$ ની પ્રબળતા : આવર્ત કોષ્કના એક જ આવર્તમાં $H-A$ બંધની ધ્રુવીયતાનું મૂલ્ય એસિડની પ્રબળતા નક્કી કર્તા પરિબળ છે. આર્વતમા જેમ $A$ ની વિદ્યુતઋણતા વધે છે તેમ ઓસિડની પ્રબળતા વધે છે. દા.ત.,
$\rightarrow \mathrm{A}$ ની વિદ્યુતઋણતા વધે છે $\rightarrow \mathrm{CH}_{4}<\mathrm{NH}_{3}<\mathrm{H}_{2} \mathrm{O}<\mathrm{HF} \rightarrow$ ઍસિડની પ્રબળતા વધે $\rightarrow$
એક જ સમૂહમાં ઍસિડિક પ્રબળતા : આવર્ત કોષ્ટકના એક જ સમૂહનાં તત્ત્વોની એસિડિક્તાની સરખામણી કરવામાં $H - A$ બંધની ધ્રુવીયતાના કરતા $H-A$ બંધની પ્રબળતા વધારે અગત્યનું પરિબળ છે. "સમૂહમાં નીયે જતાં $A$ નું કદ વધે છે તેમાં $H-A$ બંધની પ્રબળતા ઘટે છે અને એસિડની પ્રબળતા વધે છે."દા.ત.$A$ નું કદ વધે $\rightarrow \mathrm{HF}<<\mathrm{HCl}<\mathrm{HBr}<\mathrm{HI} \rightarrow$ એસિડની પ્રબળતા વધે $\rightarrow$
નિર્બળ એસિડ $HA$ ના ડેસીનોર્મલ દ્રાવણમાં તેનુ ટકાવાર વિયોજન ........... થશે. $(K_a = 4.9\times 10^{-8})$
$250$ $mL$ માં $6.0$ ગ્રામ એસિટિક એસિડના દ્રાવણની $pH$ ગણો. $298$ $K$ તાપમાને ${K_a} = 1.8 \times {10^{ - 5}}$ ( $C = 12, H = 1, O = 16$ )
$0.02$ $mL$ $ClC{H_2}COOH$ ની $pH$ ગણો, તેનો ${K_a} = 1.36 \times {10^{ - 3}}$ છે તેનો $pK_{b}$ ગણો.
ઍસિટિક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.74 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં ઍસિટેટ આયનની સાંદ્રતા અને તેની $pH$ ગણો.
નીચે આપેલ પ્રક્રિયાઓ માટે અનુક્રમે $K _{ a_1,}, K _{ a_2 }$ અને $K _{ a_3}$ આયનીકરણ અચળાંક છે.
$(a)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}$
$(b)$ $HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}$
$(c)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}$
$K _{ a _1}, K _{ a _2}$ અન $K _{ a _3}$ વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.