6-2.Equilibrium-II (Ionic Equilibrium)
normal

એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.

Option A
Option B
Option C
Option D

Solution

પ્રાયોગિક રીતે $pH$ ના મૂલ્ય ઉપરથી ઓસિડ-બેઈઝની પ્રબળતા નક્કી કરાય છે.

સૈદ્ધાંતિક રીતે એસિડના વિયોજન (આયનીકરણ) ની માત્રા (પ્રમાણા)નો આધાર $H-A$ બંધની પ્રબળતા અને ધ્રુવીયતાની ઉપર હોય છે, જેનાથી $[H$ $\left.{ }^{+}\right]$અને પ્રબળતા નિશ્ચિત થાય છે.

$(i)$ "જે $\mathrm{H}-\mathrm{A}$ બંધની પ્રબળતા ઘટે તો આ બંધ તોડવા જરૂરી ઊર્જા ઘટે છે અને ઝસિડ $\mathrm{HA}$ ની પ્રબળતા વધે છે.

$(ii)$ પરમાણુ $\mathrm{H}$ અને $\mathrm{A}$ ની વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત વધે તો $\mathrm{H}-\mathrm{A}$ બંધ વધારે ધ્રુવીય બને છે, વીજભારનું અલગીકરણ વધे છે અને $\mathrm{H}-\mathrm{A}$ બંધને તોડવાનું સરળ બને છે; જેના પરિણામે એસિડિકતા વધે છે. આમ બંધની ધ્રુવીયતા $\alpha$ વિદ્યુતઋણતાનો તફાવત $\alpha$ ઍસિડિક્તા

$(iii)$ એક જ આવર્તમાં $H-A$ ની પ્રબળતા : આવર્ત કોષ્કના એક જ આવર્તમાં $H-A$ બંધની ધ્રુવીયતાનું મૂલ્ય એસિડની પ્રબળતા નક્કી કર્તા પરિબળ છે. આર્વતમા જેમ $A$ ની વિદ્યુતઋણતા વધે છે તેમ ઓસિડની પ્રબળતા વધે છે. દા.ત.,

$\rightarrow \mathrm{A}$ ની વિદ્યુતઋણતા વધે છે $\rightarrow \mathrm{CH}_{4}<\mathrm{NH}_{3}<\mathrm{H}_{2} \mathrm{O}<\mathrm{HF} \rightarrow$ ઍસિડની પ્રબળતા વધે $\rightarrow$

એક જ સમૂહમાં ઍસિડિક પ્રબળતા : આવર્ત કોષ્ટકના એક જ સમૂહનાં તત્ત્વોની એસિડિક્તાની સરખામણી કરવામાં $H – A$ બંધની ધ્રુવીયતાના કરતા $H-A$ બંધની પ્રબળતા વધારે અગત્યનું પરિબળ છે. "સમૂહમાં નીયે જતાં $A$ નું કદ વધે છે તેમાં $H-A$ બંધની પ્રબળતા ઘટે છે અને એસિડની પ્રબળતા વધે છે."દા.ત.$A$ નું કદ વધે $\rightarrow \mathrm{HF}<<\mathrm{HCl}<\mathrm{HBr}<\mathrm{HI} \rightarrow$ એસિડની પ્રબળતા વધે $\rightarrow$

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.