સમતલ અગ્ર માટે હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી $\tau $ સમય બાદ નવું તરંગઅગ્ર કેવી રીતે મળે છે તે સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિમાં જમણી બાજુ પ્રસરતા સમતલ તરંગઅગ્ર માટે હાઈગેન્સની ભૌમિતિક રચના $t=0$ સમયે સમતલ તરંગઅગ્ર. $F _{1} F _{2}$ અને ત્યારબાદના $t=\tau$ સમયે તરંગઅગ્ર આગળની દિશામાં $G _{1} G _{2}$ દર્શાવેલ છે.

અહીં જો તરંગનો વેગ $v$ હોય, તો $\tau$ સમયમાં તરંગે કાપેલું અંતર $v \tau$ થાય.

હાઈગેન્સના સિદ્ધાંત અનુસાર $F _{1} F _{2}$ પરના બધા કણો જેવાં કે $A _{1}, B _{1}, C _{1}, D _{1}, \ldots$, એ સ્વયં અને સ્વતંત્ર એવા ગૌણ બિંદુવત ઉદગમો તરીકે વર્તે છે અને પોતાની આસપાસ $v \tau$ જેટલી ત્રિજ્યાના ગોળાકાર ગૌણ તરંગઅગ્રો ઉત્સાર્જિત કરે છે.

આ બધા ગૌણ તરંગઅગ્રોનો પરિસ્પર્શક દોરતાં તે $\tau$ સમયે નવા તરંગઅગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે જે $G _{1} G _{2}$ વડે દર્શાવેલ છે.

આમ, હવે આ તરંગઅગ્ર પરથી બીજા $\tau$ સમયે ફરીથી નવું તરંગઅગ્ર મળે છે આને તરંગ માધ્યમમાં આગળને આગળ પ્રસરે છે.

રેખાઓ $A _{1} A _{2}, B _{1} B _{2}, C _{1} C _{2}, D _{1} D _{2}, \ldots$, વગેરે તરંગઅગ્ર $F _{1} F _{2}$ અને $G _{1} G _{2}$ એમ બંનેને લंબ છે જેને પ્રકાશ કિરણ કહે છે.

તરંગઅગ્રને લંબ અને તરંગના પ્રસરણની દિશાનું સૂયન કરતી રેખાને કિરણ કહે છે.

હાઈગેન્સના તરંગવાદનો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે તે બધાજ પ્રકારના એટલે કે, ગોળાકાર કે સમતલ તરંગોને લાગુ પાડી શકાય છે.

906-s43

Similar Questions

હાઈગેનનો સિદ્ધાંત નીચેનામાંથી ગૌણ તરંગો માટે શું સમજાવે છે?

તમે પુસ્તકમાં ભણી ગયા કે કેવી રીતે હાઈગ્રેન્સનો સિદ્ધાંત પરાવર્તન અને વક્રીભવનના નિયમો તરફ દોરી જાય છે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી એક સમતલ અરીસાની સામે રાખેલ બિંદુવત્ત પદાર્થના આભાસી પ્રતિબિંબનું અરીસાથી અંતર, અરીસાથી વસ્તુ અંતર જેટલું હોય છે તેમ સાબિત કરો. 

અંતર્ગોળ અરીસાથી સમતલ તરંગઅગ્રનું પરાવર્તન સમજાવો. 

શું હાઇગેન્સનો સિદ્ધાંત, ધ્વનિના સંગત તરંગોને લાગુ પાડી શકાય ?

પાતળા બહિર્ગોળ લેન્સથી એક સમતલ તરંગઅગ્રનું વક્રીભવન સમજાવો