ઓઝોન સ્તરના ક્ષયનની પર્યાવરણ પર અસરો વિશે ટૂંકમાં સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઓઝોન સ્તરના ક્ષયનથી વધુ પારજાંબલી વિકિરણો ક્ષોભ-આવરણમાં પ્રવેશે છે. આ પારજાંબલી વિકિરણોના કારણે ચામડી જીર્ણ થવી, આંખમાં મોતિયો આવવો, સૂર્યની ગરમીથી દઝાવું, ચામડીનું કેન્સર થવું, જલજ વનસ્પતિનો નાશ થવો, માછલીની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવો વગેરે થાય છે.

પારજાંબલી વિકિરણો વનસ્પતિ પ્રોટીન પર અસર કરે છે. તેઓ વનસ્પતિ કોષમાં નુકસાનકારક ઉત્પરિવર્તન લાવે છે. તેનાથી વનસ્પતિનાં પર્ણો પર રહેલા છિદ્રો દ્વારા પાણીનું બાષ્પીભવન થાય છે અને જમીનમાં રહેલા ભેજનું પ્રમાણ ઘટે છે. આમ, ભૂપૃષ્ઠી જળનું બાષ્પીભવન વધે છે.

પારજાંબલી વિકિરણોના વધુ પ્રમાણથી રંગ અને રેસાઓને નુકસાન થાય છે અને તેઓ જલદી ઝાંખા પડી જાય છે.

Similar Questions

સલ્ફર ઓક્સાઇડ વધુ ઉત્પન્ન થવાથી થતી હાનિકારક અસરો જણાવો.

વાતાવરણીય પ્રદૂષણના પ્રકારો જણાવો. 

તાજમહેલ પર એસિડ વર્ષાની અસર સમજાવો. 

ક્ષોભ-આવરણમાં ઓઝોનના ક્ષયન માટે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ? 

$UV$ વિકિરણોની હાજરીમાં, મૂલક (રેડીકલ) કે જે ઓઝોનના ગાબડા માટેનું મુખ્યત્વ કારણ છે તે શોધો.

  • [JEE MAIN 2023]