પીવાના પાણીના આંતરરાષ્ટ્રીય ધોરણો વિશે ટૂંકમાં સમજૂતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પીવાના પાણી માટેના આંતરરાષ્ટ્રીય ધોરણો નીચે પ્રમાણે છે :

$(i)$ ફ્લોરાઇડ : પીવાના પાણીમાં ફ્લોરાઇડ આયનની સાંદ્રતા જાણવી જરૂરી છે. તેની ઊણપ માનવજાત માટે નુકસાનકારક

છે. જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. પીવાના પાણીમાં સામાન્ય રીતે દ્રાવ્ય ફલોરાઇડ ઉમેરવામાં આવે છે. જેની સાંદ્રતા

$1\,ppm$ અથવા $1\,mg\,dm^{-3}$ હોય છે.

ફલોરાઇડ આયન દાંતના કઠણ આવરણ હાઇડ્રોક્સિ એપેટાઇટ $[3(Ca_3PO_4))_2.Ca(OH)_2]$ ને વધુ કઠણ આવરણ ફ્લોર એપેટાઇટ $[3(Ca_3PO_4)2.CaF_2$માં રૂપાંતરિત કરે છે.

જો $F^-$ આયનની સાંદ્રતા $2\,ppm$ કરતાં વધુ હોય તો દાંત પર કથ્થાઈ રંગના ડાઘા પડે છે. જયારે $F^-$ નું પ્રમાણ

$10\,ppm$ થી વધુ હોય તો હાડકાં અને દાંતને નુકસાન કરે છે. જે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.

$(ii)$ લેડ : પીવાના પાણીનું પરિવહન લેંડ પાઇપ દ્વારા કરતાં લેડ પાણીમાં ભળે છે. પીવાના પાણીમાં લેડના પ્રમાણની,

સીમા $50\,ppb$ છે. લૅડ કિડની, યકૃત અને પ્રજનન તંત્રને નુકસાન પહોંચાડે છે.

$(iii)$ સલ્ફેટ : પીવાના પાણીમાં સલ્ફટનું વધુ પ્રમાણ એટલે કે $> 500\,rpm$ માનવીમાં વિરેચક અસર ઉત્પન્ન કરે છે.

પરંતુ સલ્લેટનું મધ્યમસર પ્રમાણ નુકસાનરહિત છે.

$(iv)$ નાઇટ્રેટ : પીવાના પાણીમાં નાઇટ્રેટની મહત્તમ સીમા $50\,ppm$ છે. પીવાના પાણીમાં નાઇટ્રેટનું વધુ પ્રમાણ

મિથિમૉગ્લોબીનેમિયા (લ્યુબેબી) જેવો રોગ પ્રેરે છે.

$(v)$ અન્ય ધાતુ : પીવાના પાણીમાં અન્ય ધાતુઓની મહત્તમ સાંદ્રતા જાળવવી જરૂરી છે. જે નીચેના કોષ્ટક દ્વારા સમજી શકાય.

 

Similar Questions

પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસનું નિર્માણ કેવી રીતે થાય છે ? પ્રક્રિયાસહ સમજાવો.

ધૂમ-ધુમ્મસ એટલે શું ? પારંપરિક ધૂમ-ધુમ્મસ પ્રકાશ રાસાયણિક ધૂમ-ધુમ્મસથી કેવી રીતે જુદું પડે છે ? 

એસિડ વર્ષાનું નિર્માણ ઘટાડવા શું પગલાં લેવા જોઈએ ?

હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ?

તાજમહેલ પર એસિડ વર્ષાની અસર સમજાવો.