પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ વિશે માહિતી આપો. અથવા $\rm {RNA}$ અંતઃક્ષેપ પ્રક્રિયા સમજાવો.
પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ (Pest Resistant Plants) : કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણાં પ્રાણીઓ અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે. સૂત્રકૃમિ મેલાઈડેગાઈન ઈનકોગ્નીશિયા (Meloideyne incognitia) તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે.
ઉપર્યુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલ હતો, જે $RNA$ અંતઃક્ષેપ [$RNA$ interference $(RNAi)$] પ્રક્રિયા પર આધારિત હતી. $RNA$ અંતઃક્ષેપ બધા સુકોષકેન્દ્રી સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિશિષ્ટ $mRNA$, પૂરક $dsRNA$ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. જેના ફળસ્વરૂપે $mRNA$ ના ભાષાંતરણ (translation) ને અટકાવે છે.
આ પૂરક $dsRNA$ નો સ્રોત $RNA$ જનીનસંકુલ (genome) અથવા ચલાયમાન જનીનિક તત્ત્વો-પરિવર્તકો (mobile genetic elements - transposons) ધરાવતા વાઈરસ દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે છે, જે એક $RNA$ મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે.
એગ્રોબેક્ટેરિયમ (Agrobacterium) વાહકોનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ (આકૃતિ). $DNA$ નો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે જેથી તે યજમાન કોષોમાં અર્થપૂર્ણ (sense) અને પ્રતિ અર્થપૂર્ણ (antisense) $RNA$ નું નિર્માણ કરે છે.
આ બંને $RNA$ એકબીજાના પૂરક હોય છે, જે બેવડા કુંતલમય $dsRNA$ નું નિર્માણ કરે છે, જેનાથી $RNA$ અંતઃક્ષેપ શરૂ થાય છે અને આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ $mRNA$ નિષ્ક્રિય થઈ જાય છે. જેના ફળસ્વરૂપે પારજનીનિક (transgenic) યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી. આ પ્રકારે પારજનીનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે
બેસીલસ શુરીજીએન્સીસની અમુક જાતો એવું.... .... ઉત્પન્ન કરે છે, કે જે. જેવા કીટકોને મારી નાખે છે.
$Bt$ ટોક્ષીન (ઝેર) ના સંદર્ભમાં શું સાચું છે? .
$Cry$ જનીન વૈજ્ઞાનિકોએે કઈ વનસ્પતિમાં દાખલ કર્યુ છે ?
ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે. ત્યાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ હોય છે ?
$BT$ કોટનમાં જોવા મળતું મુખ્ય લક્ષણ કયું છે?