વાહકો અને અવાહકો કઈ રીતે અલગ છે ? ધાતુને આપણા હાથમાં રાખીને તેને ઘસતા શા માટે તે વિધુતભારિત થતાં નથી ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે તેમને સુવાહકો અથવા વાહકો $(Conductors)$ કહે છે.

વાહકો પાસે મુક્ત ઇલેક્ટ્રૉન હોય છે તેથી તે દ્રવ્યમાં સરળતાથી ગતિ કરી શકે છે.

દા.ત. : ધાતુઓ, માનવ તથા પ્રાણીના શરીર અને પૃથ્વી.

જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતને પસાર થવા ન દે તેમને અવાહકો $(Insulators)$ કહે છે.

અવાહકોમાં મુક્ત એવા વિદ્યુતભારો (ઇલેક્ટ્રૉન) હોતાં નથી તેથી વિદ્યુતભારોને પસાર થવા દેવા મોટો અવરોધ દાખવે છે. દા.ત. : અધાતુઓ, કાચ, પોર્સેલિન, પ્લાસ્ટિક, રબર, નાયલૉન અને લાકડું.

વાહકોને વિદ્યુતભાર આપતાં આ વિદ્યુતભાર વાહકની સપાટી પર વિતરિત થાય છે જયારે અવાહકને વિદ્યુતભાર આપતાં તે જે-તે સ્થાને સ્થિર રહે છે.

ધાતુના સળિયાને હાથમાં રાખી ઊન સાથે ઘસતાં કોઈ વિદ્યુતભાર મળતો નથી કારણ કે, માણસનું શરીર, વિદ્યુત માટે વાહક છે. તેથી ધાતુ પર જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થયો હોય તે માણસના શરીર દ્વારા પૃથ્વીમાં જતો રહે છે.

ધાતુના સળિયાને પ્લાસ્ટિક અથવા રબરના હાથા વડે પકડીને ઊન સાથે ઘસતાં હવે સળિયાને વિદ્યુતભારિત કરી શકાય છે.

Similar Questions

અવાહકોના ઉદાહરણ આપો.અને વાહકોના ઉદાહરણ આપો. 

 દ્રવ્ય પદાર્થો વિધુતભાર કેમ પ્રાપ્ત કરે છે ?

જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુતભાર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો.

વિદ્યુતભાર એ ઈલેક્ટ્રોનીક્સ ભાર $e$ નો પૂર્ણ ગુણાંક છે ઉપરનું વિધાન કોને સાબિત કર્યું છે?

કોઈ પણ પદાર્થ પરનો વિધુતભાર હંમેશાં $‘\mathrm{e}'$ નો પૂર્ણ ગુણાંક જ હોય છે તેમ શાના પરથી કહી શકાય ?