તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્યપદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે ? શા માટે ?
તૈલી તેમજ ચરબીયુક્ત ખાદ્યપદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે કારણ કે નાઇટ્રોજન એ ઑક્સિજનની સરખામણીમાં નિષ્ક્રિય વાયુ છે.
જો ખાદ્ય પદાર્થોમાં તેલ અથવા ચરબી હાજર હોય તો તેનું હવામાંના ઑક્સિજન વડે ઑક્સિડેશન થાય છે અને ત્યારે ખોરું થઈ જાય છે. પરંતુ આ પ્રક્રિયાને નાઇટ્રોજનની હાજરીથી બચાવી શકાય છે.
આજ કારણથી બટાકાની ચિપ્સનું ઑક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુમાં તેઓનું પેકિંગ કરવામાં આવે છે.
નીચેનાં રાસાયણિક સમીકરણોને સમતોલિત કરો :
$(a)$ $HNO _{3}+ Ca ( OH )_{2} \longrightarrow Ca \left( NO _{3}\right)_{2}+ H _{2} O$
$(b)$ $NaOH + H _{2} SO _{4} \longrightarrow Na _{2} SO _{4}+ H _{2} O$
$(c)$ $NaCl + AgNO _{3} \longrightarrow AgCl + NaNO _{3}$
$(d)$ $BaCl _{2}+ H _{2} SO _{4} \longrightarrow BaSO _{4}+ HCl$
''ખોરાપણું'' ને એક ઉદાહરણ સહિત સમજાવો.
એવી વિઘટન પ્રક્રિયાઓના એક-એક સમીકરણ દર્શાવો કે જેમાં ઊર્જા-ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે.
મૅગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતાં પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે ?
ઑક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે ''ઑક્સિડેશન'' નાં બે ઉદાહરણ સહિત સમજાવો.