ધ્રુવીય અને અઘુવીય અણુઓ કોને કહે છે ? તેમના ઉદાહરણ આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જે અણુંઓમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકજ સ્થાને હોય છે તેથી તેમની કાયમી ડાઈપોલ મોમેન્ટ (ચાકમાત્રા) શૂન્ય હોય છે. તેમને અધ્રુવીય અણુંઓ કહે છે.

દા.ત. : $CO _{2}, CH _{4}, H _{2}$ અને $O _{2}$ આ પ્રકારના અણુઓ છે.

અધ્રુવીય અણુંઓ પર જ્યારે વિદ્યુતક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે ધન અને ઋણ વિદ્યુતભારો પર પરસ્પર વિદુદ્ધ દિશામાં બળ લાગવાના લીધે તેમના કેન્દ્રો સ્થાનાંતરિત થાય છે અને વિદ્યુત ડાઈપોલ પ્રેરિત થાય છે.

જે અણુંઓના ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો સંપાત થતાં નથી એટલે અલગ અલગ હોય તેઓ કાયમી વિદ્યુત ડાઈપોલ મોમેન્ટ ધરાતાં હોય છે. આવા અણુંઓને ધ્રુવીય અણુંઓ કહે છે. દા.ત. : $HCl , H _{2} O$

Similar Questions

એક કેપેસીટરમાં હવા ડાય ઈલેક્ટ્રિક માધ્યમ તરીકે અને એક બીજાથી $0.6 \mathrm{~cm}$ દૂર આવેલી $12 \mathrm{~cm}^2$ ક્ષેત્રફળવાળી બે વાહક પ્લેટ છે. જ્યારે $12 \mathrm{~cm}^2$ ક્ષેત્રફળ અને $0.6 \mathrm{~cm}$ જાડાઈનો ડાયઈલેક્ટ્રિકદ સ્લેબ દાખલ કરવામાં આવે ત્યારે કેપેસીટરનું પહેલા જેટલું જ કેપેસીટન્સ રાખવા માટે એક પ્લેટને $0.2 \mathrm{~cm}$ ખસેડવી પડે છે. સ્લેબનો ડાયઈલેક્ટ્રિક અચળાંક. . . .છે $\left(\epsilon_0=8.834 \times 10^{-12} \mathrm{~F} / \mathrm{m}\right.$ લો )

  • [JEE MAIN 2024]

ધાતુનો ડાયઈલેકટ્રીક અચળાંક ........ છે.

સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇઇલેક્ટ્રિકની અસર સમજાવો અને ડાઇઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર લખો.

સમાંતર પ્લેટ કેપેસિટરમાં અનુક્રમે $K_1$ અને $ K_2$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક સાથે $t_1$ અને $t_2$ જાડાના સ્તરો મૂકવામાં આવે છે તો આ સંગ્રાહકની કેપેસિટી કેટલી ?

શુદ્ધ પાણીનો ડાય ઈલેકટ્રીક અચળાંક $81$ છે. તે પરમિટિવિટી ........ હશે.