Environmental Study
hard

હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ? તે પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા કેવી રીતે મદદરૂપ થશે ?

Option A
Option B
Option C
Option D

Solution

$20$ મી સદીના અંત સુધીમાં ખાતર અને કીટનાશકોના ઉપયોગથી તથા કૃષિની સુધારેલી પદ્ધતિનો ઉપયોગ કરી, ઊંચી ગુણવત્તાવાળા બીજ, સિંચાઈ વગેરેની મદદથી ખાદ્ય ક્ષેત્રમાં આપણા દેશે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે.

આ દરમિયાન જમીનનું વધુ શોષણ કરવાથી તથા ખાતર અને કીટનાશકોના વધુ ઉપયોગથી જમીન, પાણી અને હવાની ગુણવત્તા ઘટી છે.

રસાયણવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનના સિદ્ધાંતો તથા વર્તમાન જ્ઞાનના ઉપયોગથી પર્યાવરણ પર થતી અવળી અસરને ઓછી કરવાના વિચારોને હરિયાળું રસાયણવિજ્ઞાન કહે છે, હરિયાળું રસાયણવિજ્ઞાન ઉત્પાદનની એવી પદ્ધતિ છે જે પર્યાવરણમાં ન્યૂનતમ પ્રદૂષણ પેદા કરે છે. પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉપપેદાશોનો લાભદાયી ઉપયોગ ન કરી શકાય તો તે પ્રદૂષણમાં ઉમેરો કરે છે. નકામા પદાર્થો બનવા અને તેનો નિકાલ બંને આર્થિક દૃષ્ટિએ નુકસાનકારક છે. કાર્બનિક દ્રાવકો જેવા કે બેન્ઝિન ટોલ્યુઇન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરે અત્યંત ઝેરી છે. તેમનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. રાસાયણિક પ્રક્રિયાનો વ્યાપ તાપમાન, દબાણ અને ઉદીપકના ઉપયોગ પર રહેલો છે.

પર્યાવરણીય મિત્ર સ્વરૂપના માધ્યમની મદદથી પ્રક્રિયકો પર્યાવરણીય મિત્ર સ્વરૂપની નીપજોમાં ફેરવાય તો પર્યાવરણમાં કોઈ રાસાયણિક પ્રદૂષક ઉમેરાતું નથી. સંશ્લેષણ દરમિયાન પ્રારંભિક પદાર્થની પસંદગી સમયે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે તે અંતિમ નીપજમાં ફેરવાય છે ત્યારે $100\%$ નીપજ બને છે. જેને સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન મેળવી શકાય છે. પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા તથા નીચી બાષ્પશીલતાના કારણે તેને સંશ્લેષણ પ્રક્રિયાઓમાં માધ્યમ તરીકે લેવાય છે. તે સસ્તું, અપ્રજવલનશીલ તથા અકૅન્સરપ્રેરક માધ્યમ છે. 

Standard 11
Chemistry

Similar Questions

શાળાનાં એક શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વનસ્પતિશાસ્ત્રનાં એક વિધાર્થીએ એક ગામમાં સુંદર તળાવ જોયું. તેણે ત્યાંથી ઘણી વનસ્પતિ પણ લીધી. તેણે જોયું કે ગામના લોકો ત્યાં કપડાં ધોઈ રહ્યા હતા અને કેટલીક જગ્યાએ ઘરનો કચરો તેનાં સૌંદર્યને બગાડી રહ્યો હતો.

થોડા વર્ષો પછી તેણે તે તળાવની ફરીવાર મુલાકાત લીધી. તેણે જોયું કે તળાવ આખું શેવાળથી ભરેલું હતું અને ખરાબ દુર્ગધ તેમાંથી આવી રહી હતી અને તેનું પાણી અનુપયોગી બની ગયું હતું. તમે તળાવની આવી દુર્દશા વર્ણવી શકો છો ?

વિચાર વિમર્શ :

ઉપરની ઘટના એ યુટ્રોફિકેશનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં નકામો કચરો જ્યારે પાણીમાં પ્રવેશે છે ત્યારે આલ્ગી  (શેવાળ)નું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધે છે અને તેને કારણે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે. 

medium

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.