હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ? તે પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવા કેવી રીતે મદદરૂપ થશે ?
$20$ મી સદીના અંત સુધીમાં ખાતર અને કીટનાશકોના ઉપયોગથી તથા કૃષિની સુધારેલી પદ્ધતિનો ઉપયોગ કરી, ઊંચી ગુણવત્તાવાળા બીજ, સિંચાઈ વગેરેની મદદથી ખાદ્ય ક્ષેત્રમાં આપણા દેશે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે.
આ દરમિયાન જમીનનું વધુ શોષણ કરવાથી તથા ખાતર અને કીટનાશકોના વધુ ઉપયોગથી જમીન, પાણી અને હવાની ગુણવત્તા ઘટી છે.
રસાયણવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનના સિદ્ધાંતો તથા વર્તમાન જ્ઞાનના ઉપયોગથી પર્યાવરણ પર થતી અવળી અસરને ઓછી કરવાના વિચારોને હરિયાળું રસાયણવિજ્ઞાન કહે છે, હરિયાળું રસાયણવિજ્ઞાન ઉત્પાદનની એવી પદ્ધતિ છે જે પર્યાવરણમાં ન્યૂનતમ પ્રદૂષણ પેદા કરે છે. પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉપપેદાશોનો લાભદાયી ઉપયોગ ન કરી શકાય તો તે પ્રદૂષણમાં ઉમેરો કરે છે. નકામા પદાર્થો બનવા અને તેનો નિકાલ બંને આર્થિક દૃષ્ટિએ નુકસાનકારક છે. કાર્બનિક દ્રાવકો જેવા કે બેન્ઝિન ટોલ્યુઇન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરે અત્યંત ઝેરી છે. તેમનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ. રાસાયણિક પ્રક્રિયાનો વ્યાપ તાપમાન, દબાણ અને ઉદીપકના ઉપયોગ પર રહેલો છે.
પર્યાવરણીય મિત્ર સ્વરૂપના માધ્યમની મદદથી પ્રક્રિયકો પર્યાવરણીય મિત્ર સ્વરૂપની નીપજોમાં ફેરવાય તો પર્યાવરણમાં કોઈ રાસાયણિક પ્રદૂષક ઉમેરાતું નથી. સંશ્લેષણ દરમિયાન પ્રારંભિક પદાર્થની પસંદગી સમયે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે તે અંતિમ નીપજમાં ફેરવાય છે ત્યારે $100\%$ નીપજ બને છે. જેને સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન મેળવી શકાય છે. પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા તથા નીચી બાષ્પશીલતાના કારણે તેને સંશ્લેષણ પ્રક્રિયાઓમાં માધ્યમ તરીકે લેવાય છે. તે સસ્તું, અપ્રજવલનશીલ તથા અકૅન્સરપ્રેરક માધ્યમ છે.
ગ્રીન હાઉસ અસર ગ્લોબલ વોર્મિંગને કેવી રીતે અસર કરે છે - સમજાવો.
ગ્રીન હાઉસ અસર એટલે શું ?
એક માણસ મ્યુનિસિપાલિટીમાંથી આવતું પાણી વાપરે છે. પાણીની અછતને કારણે તે જમીન નીચે સંગ્રહ કરેલું પાણી વાપરે છે. તેને વિરેચક અસર વર્તાય છે. તો તેનાં કારણો શું હોઈ શકે ?
જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એટલે શું ?
એસિડ વર્ષા અટકાવવાના બે ઉપાયો જણાવો.