ઓઝોન-સ્તરમાં ગાબડું એટલે શું ? તેના પરિણામો શું છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઓઝોન સ્તરના ક્ષયનથી વધુ પારજાંબલી વિકિરણો ક્ષોભ-આવરણમાં પ્રવેશે છે. આ પારજાંબલી વિકિરણોના કારણે ચામડી જીર્ણ થવી, આંખમાં મોતિયો આવવો, સૂર્યની ગરમીથી દઝાવું, ચામડીનું કેન્સર થવું, જલજ વનસ્પતિનો નાશ થવો, માછલીની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવો વગેરે થાય છે.

પારજાંબલી વિકિરણો વનસ્પતિ પ્રોટીન પર અસર કરે છે. તેઓ વનસ્પતિ કોષમાં નુકસાનકારક ઉત્પરિવર્તન લાવે છે. તેનાથી વનસ્પતિનાં પર્ણો પર રહેલા છિદ્રો દ્વારા પાણીનું બાષ્પીભવન થાય છે અને જમીનમાં રહેલા ભેજનું પ્રમાણ ઘટે છે. આમ, ભૂપૃષ્ઠી જળનું બાષ્પીભવન વધે છે.

પારજાંબલી વિકિરણોના વધુ પ્રમાણથી રંગ અને રેસાઓને નુકસાન થાય છે અને તેઓ જલદી ઝાંખા પડી જાય છે.

Similar Questions

જલીય જીવસૃષ્ટિ માટે પાણીમાં ઓગળેલા ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. પાણીમાં રહેલા ઓક્સિજનની માત્રા  ઓછી થવા માટે ક્યાં કારણો જવાબદાર છે ?

ક્ષોભ-આવરણીય પ્રદૂષણના પ્રદૂષકોના પ્રકારો જણાવો. 

પર્યાવરણીય રસાયણવિજ્ઞાનને વ્યાખ્યાયિત કરો. 

ક્ષોભ-આવરણમાં જોવા મળતા પ્રદૂષકોના નામ આપો. 

વાતાવરણીય પ્રદૂષણના પ્રકારો જણાવો.