સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે ? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ ?
કોઈ પણ રાસાયણિક ફેરફારને રાસાયણિક સમીકરણ વડે દર્શાવવામાં આવે છે જ્યારે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નીપજ એમ બંને તરફ બધા જ પ્રકારના જુદા જુદા તત્ત્વોની સંખ્યા સમાન હોય તો તેવાં સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે.
રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવા જોઈએ કારણ કે -
$(i)$ દળ સંચય (દ્રવ્ય સંરક્ષણ)ના નિયમ મુજબ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ દ્રવ્ય)નું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નીપજોમાં હાજર રહેલા તત્ત્વોનું કુલ દળએ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્ત્વોના દળ જેટલું હોય છે.
$(ii)$ સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા દરેક પ્રક્રિયક અને નીપજની ભૌતિક અવસ્થા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. પ્રક્રિયકોની અને નીપજોની વાયુરૂપ, પ્રવાહી, જલીય અને ઘન અવસ્થાઓને અનુક્રમે $(g)$, $(l)$, $(aq)$ અને $(s)$ જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે.
$(iii)$ સમતોલિત રાસાયણિક સમીકરણ પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર દર્શાવે છે. ઉષ્માની સંજ્ઞા $\Delta $ છે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક તે સમતોલિત સમીકરણ પરથી નક્કી કરી શકાય છે.
નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :
$(i)$ હાઇડ્રોજન $+$ ક્લોરિન $\to $ હાઇડ્રોજન ક્લોરાઇડ
$(ii)$ બેરિયમ ક્લોરાઇડ $+$ ઍલ્યુમિનિયમ સલ્ફેટ $\to $ બેરિયમ સલ્ફેટ $+$ ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ
$(iii)$ સોડિયમ $+$ પાણી $\to $ સોડિયમ હાઇડ્રૉક્સાઇડ $+$ હાઇડ્રોજન
તમે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો ? ઉદાહરણો આપી સમજાવો.
સિલ્વરના શુદ્ધીકરણમાં કૉપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો.
''ખોરાપણું'' ને એક ઉદાહરણ સહિત સમજાવો.
નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યાર બાદ તેઓને સમતોલિત કરો :
$(a)$ હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે.
$(b)$ હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને (દહન પામીને) પાણી અને સલ્ફર ડાયૉક્સાઇડ આપે છે.
$(c)$ બૅરિયમ ક્લોરાઇડ ઍલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે તેમજ બૅરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે.
$(d)$ પોટૅશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે.