ધૂમ-ધુમ્મસ એટલે શું ? પારંપરિક ધૂમ-ધુમ્મસ પ્રકાશ રાસાયણિક ધૂમ-ધુમ્મસથી કેવી રીતે જુદું પડે છે ?
ધૂમ-ધુમ્મસ શબ્દ ધુમાડો અને હવામાંના ભેજ શબ્દોના જોડાણથી બનેલો છે, સામાન્ય રીતે હવાના પ્રદૂષણ તરીકે ધૂમ્ર-ધુમ્મસ જોવા મળે છે. તેના બે પ્રકાર છે :
$(i)$ પારંપરિક ધૂમ્ર-ધુમ્મસ : તે ઠંડા ભેજવાળા વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. તે ધુમાડો, હવામાંના ભેજ અને સલ્ફર ડાયૉક્સાઇડનું મિશ્રણ છે. તે રાસાયણિક રીતે રિડક્શનકર્તા મિશ્રણ હોવાથી તેને રિડક્શનકર્તા ધૂમ્ર-ધુમ્મસ કહે છે.
$(ii)$ પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ : તે ગરમ, શુષ્ક અને સૂર્યપ્રકાશવાળા હવામાનમાં ઉત્પન્ન થાય છે. તે વાહનો અને ઔદ્યોગિક એકમોમાંથી ઉત્પન્ન થતાં નાઇટ્રોજન ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બન સંયોજનો પર પ્રકાશ પડવાથી ઉત્પન્ન થાય છે. ધૂમ્ર-ધુમ્મસ ઑક્સિડેશનકર્તા ધૂમ્ર-ધુમ્મસ કહે છે.
પાણી પ્રક્રિયાઓમાં શા માટે માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે ?
શાળાનાં એક શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વનસ્પતિશાસ્ત્રનાં એક વિધાર્થીએ એક ગામમાં સુંદર તળાવ જોયું. તેણે ત્યાંથી ઘણી વનસ્પતિ પણ લીધી. તેણે જોયું કે ગામના લોકો ત્યાં કપડાં ધોઈ રહ્યા હતા અને કેટલીક જગ્યાએ ઘરનો કચરો તેનાં સૌંદર્યને બગાડી રહ્યો હતો.
થોડા વર્ષો પછી તેણે તે તળાવની ફરીવાર મુલાકાત લીધી. તેણે જોયું કે તળાવ આખું શેવાળથી ભરેલું હતું અને ખરાબ દુર્ગધ તેમાંથી આવી રહી હતી અને તેનું પાણી અનુપયોગી બની ગયું હતું. તમે તળાવની આવી દુર્દશા વર્ણવી શકો છો ?
વિચાર વિમર્શ :
ઉપરની ઘટના એ યુટ્રોફિકેશનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં નકામો કચરો જ્યારે પાણીમાં પ્રવેશે છે ત્યારે આલ્ગી (શેવાળ)નું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધે છે અને તેને કારણે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે.
પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ કઈ નુકસાનકારક અસરો દર્શાવે છે ? અને તેઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય ?
પર્યાવરણીય રસાયણવિજ્ઞાનને વ્યાખ્યાયિત કરો.
$UV$ વિકિરણોની હાજરીમાં, મૂલક (રેડીકલ) કે જે ઓઝોનના ગાબડા માટેનું મુખ્યત્વ કારણ છે તે શોધો.