ઊર્ધ્વપાતન એટલે શું ? ઊર્ધ્વપાતી પદાર્થો ક્યાં ક્યાં છે તે જણાવો.
કેટલાક એવા પદાર્થો છે જે અને અવસ્થામાં ઉષ્મા આપતાં સીધા જ વાયુ-અવસ્થામાં રૂપાંતર પામે છે. એટલે કે પ્રવાહીઅવસ્થામાં રૂપાંતર થયા વગર ઘન-અવસ્થામાંથી વાયુ-અવસ્થામાં રૂપાંતર પામે છે, પ્રવાહી-અવસ્થામાં રૂપાંતર થયા વગર ઘન-અવસ્થામાંથી વાયુ-અવસ્થામાં થતાં રૂપાંતરણને ઊર્ધપાતન $(Sublimation)$ કહે છે અને ઉર્વપાતન પામતા પદાર્થોને ઊર્ધ્વપાતી પદાર્થો કહે છે.
સૂકો બરફ (ધન $CO_2$ ), આયોડિન વગેરે ઊર્ધ્વપાતી પદાર્થ છે.
ઊર્ધ્વપાતનની પ્રક્રિયા દરમિયાન પદાર્થની ધન-અવસ્થા અને વાયુ-અવસ્થા એમ બંને અવસ્થાઓ ઉષ્મીય સંતુલનમાં હોય છે,
બાષ્પીકરણ તથા ઉત્કલનબિંદુ કોને કહે છે ? પાણીની ઉકળવાની પ્રક્રિયા સમજવા માટેની પ્રવૃત્તિ સમજાવો.
ભારતમાં ઉનાળાના સમયમાં એક સામાન્ય પદ્ધતિ ઠંડક રાખવા માટે એવી હોય છે, કે જેમાં બરફના બોલ બનાવી તેને ચાસણીમાં ડુબાડીને ચૂસવામાં આવે. આના માટે એક સળી છીણેલા બરફમાં નાંખવામાં આવે કે જેથી તે બરફના બોલને સળીથી પકડી શકાય. એવી જ રીતે, શિયાળામાં એવા વિસ્તારમાં કે જ્યાં બરફવર્ષા થાય ત્યાં સ્નો બોલ બનાવીને એકબીજા પર ફેંકતા હોય છે. છીણેલા બરફમાં અને સ્નોમાંથી બોલની બનાવટ પાણીના $p\to T$ આલેખની મદદથી સમજાવો.
પાણીના ઉત્કલનબિંદુ પર દબાણની શું અસર થાય છે ?
દ્રવ્યની ત્રણ અવસ્થાઓ અને અવસ્થા ફેરફાર સમજાવો.
$CO_2$ ,ના $P -T$ ફ્રેઝ ડાયગ્રામને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :
$(a)$ $1$ વાતાવરણ દબાણે અને $-60 \,^oC$ તાપમાને $CO_2$,નું સમતાપી સંકોચન કરવામાં આવે છે. શું તે પ્રવાહી અવસ્થામાં જશે ?
$(b)$ $CO_2$ ,નું દબાણ $4$ વાતાવરણ જેટલું અચળ રાખીને તેનું ઓરડાનાં તાપમાન સુધી ઠારણ કરાવવામાં આવે તો શું થાય ?
$(c)$ $10$ વાતાવરણ દબાણે અને $-65 \,^oC$ તાપમાને આપેલ જથ્થાનાં ઘન $CO_2$,નું દબાણ અચળ રાખી ઓરડાના તાપમાને તેને ગરમ કરતાં થતાં ગુણાત્મક ફેરફારોનું વર્ણન કરો.
$(d)$ $CO_2,$ ને $70 \,^oC$ સુધી ગરમ કરી સમતાપી સંકોચન કરવામાં આવે છે. અવલોકન માટે તમે તેનાં ક્યા ગુણધર્મોમાં ફેરફારની અપેક્ષા રાખશો ?