એસિડ વર્ષાનું નિર્માણ ઘટાડવા શું પગલાં લેવા જોઈએ ?
સલ્ફર અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડના ઉત્સર્જનને ઘટાડીને ઍસિડ વર્ષોના નિર્માણને ઘટાડી શકાય છે.
અશ્મિગત બળતણથી ચાલતા વાહનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, વિદ્યુતમથક તથા ઉદ્યોગોમાં ઓછું સલ્ફર ધરાવતા અશ્મિગત બળતણનો ઉપયોગ કરવો.
સલ્ફરનું પ્રમાણ ઓછું હોય તેવા કોલસાનો ઉપયોગ કરવો અથવા કોલસા કરતા ઉત્તમ બળતણ એવા કુદરતી વાયુનો ઉપયોગ કરવો જોઈએ.
મોટરગાડીમાં ઉદીપકીય પરિવર્તકનો ઉપયોગ કરવો જોઈએ. જેથી ઉત્સર્જિત થતા ધુમાડાની વાતાવરણ પર થતી અસર ઘટાડી શકાય છે.
જમીનમાં ચૂનાના પથ્થરને ઉમેરીને જમીનની ઍસિડિક્તા ઘટાડી તેને તટસ્થ બનાવવી જોઈએ.
પાણીનું $BOD$ મૂલ્ય માપવાની જરૂરિયાત શા માટે છે ?
એસિડ વર્ષાથી થતી બે આડઅસરો જણાવો.
વાતાવરણમાં રહેલા ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે ?
એસિડ વર્ષોમાં કેટલાક એસિડ આવેલા છે. એવા એસિડના નામ આપો અને તેઓ વરસાદના પાણીમાં ક્યાંથી આવે છે તે જણાવો.
એસિડ વર્ષા શું છે ? અને તેના માટે જવાબદાર વાયુઓના નામ આપો.