Environmental Study
medium

જુદા જુદા કીટનાશકોની સજીવો પર થતી અસરો વિશે નોંધ લખો.

Option A
Option B
Option C
Option D

Solution

બીજા વિશ્વયુદ્ધ પહેલાં કુદરતી રીતે મળી આવતા નિકોટીન જેવા રસાયણોનો ઉપયોગ અનેક પાકો માટે કીટકોના નિયંત્રણ માટે થતો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મેલેરિયા અને અન્ય જંતુઓ દ્વારા જયારે રોગો થવા લાગ્યા ત્યારે આ રોગોના નિયંત્રણ માટે $DDT$ ખૂબ જ ઉપયોગી રસાયણ પુરવાર થયું.

આમ બીજા વિશ્વયુદ્ધ પછી કૃષિમાં જંતુઓ, કૃન્તકો, નીંદામણ અને પાકોના વિભિન્ન રોગોના નિયંત્રણ માટે $DDT$ નો ઉપયોગ થવા લાગ્યો. કીટનાશકો મૂળસ્વરૂપે સંશ્લેષિત ઝેરી રસાયણો છે. એક જ પ્રકારના કીટનાશકોના વારંવાર ઉપયોગથી કીટકોમાં આ કીટનાશકો પ્રત્યે પ્રતિરોધ ક્ષમતા વધતી હોવાથી તે કીટનાશકોને બિનઅસરકારક બનાવે છે.

જયારે $DDT$ ની પ્રતિરોધકતામાં વધારો થવા લાગ્યો ત્યારે અન્ય કાર્બનિક વિષ જેવા કે આલ્ટીન અને ડાયએન્ડ્રીનનો કીટનાશક તરીકે ઉપયોગ થવા લાગ્યો. મોટાભાગના કાર્બનિક વિષ પાણીમાં અદ્રાવ્ય અને જૈવ અવિઘટનીય હોય છે. આવા વધુ અસરકારક કાર્બનિક વિષ આહારશૃંખલા દ્વારા નિમ્નપોષી સ્તરથી ઉચ્ચપોષી સ્તર સુધી સ્થાનાંતર પામે છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.