આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો અને સાબિત કરો.
"જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં અંશત: કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે છે,ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવકબળ,તેણે વિસ્થાપીત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે અને વિસ્થાપીત કરેલાં પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્ર પર ઊર્ધ્વ દિશામાં લાગે છે."
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહીની સપાટીથી $x$ ઊંડાઈએ એક લંબઘન પદાર્થ વિચારો.
આ પદાર્થની ઊંચાઈ $h$ આડછેદનું ક્ષેત્રફળ $A$ છે.
પ્રવાહીની ધનતા $\rho$ છે.
પદાર્થની ડાબી અને જમણી બાજુ લાગતા બળો સમાન મૂલ્પ અને પરસ્પર વિટુદ્ધ દિશામાં છે જે એક્બીજાની અસર નાબુદ કરે છે.
પદાર્થની ઉપરની સપાટી પરનું દબાણ $P _{1}=x \rho g$
પદાર્થની નીચેની સપાટી પરનું દબાણ $P _{2}=(x+h) \rho g$
ઉપરની સપાટી પરનું બળ $F _{1}= P _{1} A =x \rho g A$
નીચેની સપાટી પરનું બળ $F _{2}= P _{2} A =(x+h) \rho A$
પદાર્થ પર લાગતું પરિણામી બળ (ઉત્પ્લાવક બળ)
$F _{ b }= F _{2}- F _{1}$
$F _{ b }=(x+h) g \rho A -x \rho g A$
$F _{ b }=h \rho g A$
પરંતુ $A h=$ પદર્થનું કદ $V =$ વિસ્થાપીત પ્રવાહીનું દળ
$\therefore F _{ b }=V \ g$
$\therefore F _{ b }=m g \quad(\because \rho=m / V \therefore m= Vg )$
આ બળ ઊર્ધ્વાદિશામાં લાગે છે. અહી $m$ વિસ્થાપીત તરલનું દળ છે. આમ ઉત્પ્લાવક બળ $=$ વિસ્થાપીત તરલનું વજન જે આર્કિમિડઝનો સિદ્ધાંત દર્શાવે છે.
પદાર્થ પ્રવાહીમાં કોઈ ઊંડાઈએ ક્યારે સ્થિર રહે છે? તે જાણવો ?
ત્રાજવામાં મૂકેલા બે પદાર્થો પાણીમાં સમતોલનમાં રહે છે,એક પદાર્થનું દળ $36 g $ અને ઘનતા $9 g / cm^3$ છે,જો બીજા પદાર્થનું દળ $ 48 g$ હોય,તો ઘનતા .......$g / cm^3$ થાય.
એક બરણીમાં, એકબીજામાં મિશ્રિત ન થઇ શકે તેવાં તથા $\rho_{1}$ અને $\rho_{2}$ ધનતાવાંં બે પ્રવાહી ભરેલાં છે. આ બરણીમાં $\rho_{3}$ ધનતાવાળો ગોળો નાખતા તે આકૃતિમાં દર્શાવ્યા મુજબની સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સમઘન બ્લોકનું અડધું કદ ડુબેલું છે,પાત્રને $g/3$ પ્રવેગથી ઉપર તરફ ગતિ કરાવવાથી ડુબેલું નવું કદ કેટલું થાય?
ટેન્કર સ્થિર છે ત્યારે તેમાં રહેલાં પ્રવાહીની સપાટી સમક્ષિતિજ છે. જ્યારે ટેન્કર પ્રવેગિત ગતિ કરે છે, ત્યારે પ્રવાહીની મુક્ત સપાટી $\theta $ ખૂણે ઢળે છે. જો ટેન્કરનો પ્રવેગ $\mathrm{a}$ હોય, તો મુક્ત સપાટીનો ઢાળ શોધો.