નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક ${K_b}$ ની લાક્ષણિકતા અને ઉપયોગો આપો.
$(i)$ જેમ $\mathrm{K}_{b}$ નું મૂલ્ય વધારે તેમ તે બેઈઝની પ્રબળતા વધારે હોય છે.
$(ii)$ $\mathrm{K}_{b}$ તે પરિમાણરહિત રાશિ છે.
$(iii)$ $\mathrm{K}_{b}$ ના મૂલ્યની ઉપરથી નિર્બળ બેઈ્ઝના દ્રાવણમાં $[OH^-]$ ગણીને $pOH$ ગણી શકાય છે.
$(iv)$ $\mathrm{K}_{b}$ ના મૂલ્યની ઉપરથી બેઇઝનો આયનીકરણ અંશ $\alpha$ (આલ્ફા) ગણી શકાય.
$(v)$ $\mathrm{K}_{b}$. ના ઉપરથી $\mathrm{pK}_{b}$ ગણી શકાય છે. $\mathrm{pK}_{b}=-\log \left(\mathrm{K}_{b}\right)$ જેમ $\mathrm{pK}_{b}$ નું મૂલ્ય વધારે તેમ બેઈઝની પ્રબળતા ઓછી હોય.
$K_b$ | $1 \times 10^{-1}$ | $1 \times 10^{-2}$ | $1 \times 10^{-3}$ |
$\mathrm{pK}_{b}$ | $+1$ | $+2$ | $+3$ |
ઍસિટિક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.74 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં ઍસિટેટ આયનની સાંદ્રતા અને તેની $pH$ ગણો.
જલીય દ્રાવણમાં કાર્બોનિક એસિડના આયનીકરણ અચળાંક $K_1 = 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે. તો કાર્બોનિક એસિડના $0.034\, M$ સંતૃપ્ત દ્રાવણ માટે સાચુ વિધાન પસંદ કરો.
$298$ $K$ તાપમાને બેન્ઝોઇક એસિડનો આયનીકરણ અચળાંક $6.5 \times {10^{ - 5}}$ છે તેના $0.15$ $M$ દ્રાવણની $pH$ ગણો.
લેક્ટિક એસિડ $(HC_3H_5O_3)$નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. $0.10\, M$ જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું $3.7\%$ વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક $K_a$નું મૂલ્ય શું હશે?
જલીય દ્રાવણમાં કાર્બનિક એસિડ માટે આયનીકરણ અચળાંક $K_1$ $=$ $ 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે તો કાર્બનિક એસિડનાં $ 0.034\,M $ દ્રાવણનાં સંતૃપ્તી માટે સાચું વિધાન પસંદ કરો.