નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક ${K_b}$ ની લાક્ષણિકતા અને ઉપયોગો આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ જેમ $\mathrm{K}_{b}$ નું મૂલ્ય વધારે તેમ તે બેઈઝની પ્રબળતા વધારે હોય છે.

$(ii)$ $\mathrm{K}_{b}$ તે પરિમાણરહિત રાશિ છે.

$(iii)$ $\mathrm{K}_{b}$ ના મૂલ્યની ઉપરથી નિર્બળ બેઈ્ઝના દ્રાવણમાં $[OH^-]$ ગણીને $pOH$ ગણી શકાય છે.

$(iv)$ $\mathrm{K}_{b}$ ના મૂલ્યની ઉપરથી બેઇઝનો આયનીકરણ અંશ $\alpha$ (આલ્ફા) ગણી શકાય.

$(v)$ $\mathrm{K}_{b}$. ના ઉપરથી $\mathrm{pK}_{b}$ ગણી શકાય છે. $\mathrm{pK}_{b}=-\log \left(\mathrm{K}_{b}\right)$ જેમ $\mathrm{pK}_{b}$ નું મૂલ્ય વધારે તેમ બેઈઝની પ્રબળતા ઓછી હોય.

$K_b$ $1 \times 10^{-1}$ $1 \times 10^{-2}$ $1 \times 10^{-3}$
$\mathrm{pK}_{b}$ $+1$ $+2$ $+3$

 

Similar Questions

નીચે આપેલ પ્રક્રિયાઓ માટે અનુક્રમે $K _{ a_1,}, K _{ a_2 }$ અને $K _{ a_3}$ આયનીકરણ અચળાંક છે.

$(a)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}$

$(b)$ $HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}$

$(c)$ $H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}$

$K _{ a _1}, K _{ a _2}$ અન $K _{ a _3}$ વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.

  • [JEE MAIN 2022]

$25$ $mL$ $0.1$ $M$ $HCl$ ને $500$ $mL$ સુધી મંદન કરતાં બનતા મંદ દ્રાવણની $pH$ ગણો.

$CH_3COOH$ ના ડેસીનોર્મલ દ્રાવણનુ $1.3\%$ આયનીકરણ થતુ હોય, દ્રાવણની $p^H$ શું થશે ? ( $log\,1.3 = 0.11$ )

પ્રોપેનોઈક એસિડનો ${K_a} = 1.4 \times {10^{ - 5}}$ છે. તેનાં $0.1$ $M$ દ્રાવણની $pH$ ગણો. 

નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ઉદાહરણો અને તેમના જલીય દ્રાવણમાં આયનિય સંતુલનો આપો.