'' માપનની ચોકસાઈ, નિરપેક્ષ ત્રુટિ વડે નહિ પરંતુ પ્રતિશત ત્રુટિ વડે જ નક્કી કરી શકાય છે.” આ વિધાન સમજાવો.
ધારો કે એક જ વર્નિયર કેલિપર્સથી બે ભિન્ન પદાર્થની લંબાઈ માપતાં તે $2.20 \pm 0.01$ સેમી અને $8.05 \pm 0.01$ સેમી મળે છે.
અહી દરેક માપમાં નિરપેક્ષ ત્રુટી $(0.01$ સેમી) સમાન છે.
પ્રથમ માપમાં પ્રતિશત ત્રુટિ $=\frac{0.01}{2.20} \times 100 \%=0.45 \%$
બીજા માપમાં પ્રતિશત ત્રુટિ $=\frac{0.01}{8.05} \times 100 \%=0.12 \%$
આમ, નિરપેક્ષા ત્રુટિઓ સમાન હોવા છતાં મોટા માપમાં પ્રતિશત ત્રુટિ ઓછી અને નાના માપમાં પ્રતિશત ત્રુટિ મોટી મળે છે. આથી કહી શકાય કે જેમ પ્રતિશત ત્રુટિ ઓછી હોય તેમ માપ વધુ યોક્સાઈભમર્યું કહેવાય.
ગાણિતિક સૂત્રમાં સંખ્યાબંધ રાશિઓની કિંમતોનો ઉપયોગ થાય છે. રાશિ જે માપનામાં સૌથી વધુ ચોક્કસ અને સચોટ હોવો જોઈએ તે આમાંથી કઈ છે?
ત્રુટિઓના ગુણાકાર કે ભાગાકારની અંતિમ પરિણામ પર થતી અસર મેળવો.
એક પાતળો કોપરનો તાર કે જેની લંબાઇ $ l $ મીટર છે તેને $10^°C$ જેટલો ગરમ કરતા તેની લંબાઇમાં $2\% $ નો વધારો થાય છે જ્યારે $l $ મીટર લંબાઇના ચોરસ કોપરના ટુકડાને $ 10^°C $ ગરમ કરવામાં આવે ત્યારે ક્ષેત્રફળ માં થતો ફેરફાર ટકાવારી માં ........ $\%$ હોય.
લઘુતમ માપ અને લઘુતમ માપ ત્રુટિ કોને કહે છે ? અને લઘુતમ માપ ત્રુટિ પર નોંધ લખો.