એક વ્યક્તિ ઘરે-ઘરે સુવર્ણકાર તરીકે જઈને ઊભો રહે છે. તે જૂના અને નિસ્તેજ (ઝાંખા) સોનાનાં ઘરેણાની ચમક પાછી લાવી આપવાનું વચન આપે છે. એક બિનસાવધ ગૃહિણી તેને સોનાની બંગડીઓનો સેટ આપે છે, જેને તેણે એક ખાસ દ્રાવણમાં ડુબાડ્યો. બંગડીઓ નવા જેવી જ ચમકવા લાગી પરંતુ તેના વજનમાં ભારે ઘટાડો થયો. ગૃહિણી ઉદાસ થઈ ગઈ પરંતુ નિરર્થક દલીલ પછી વ્યક્તિ ઉતાવળે ફેરો કરી જતો રહ્યો. શું તમે ગુપ્તચર તરીકે વર્તી તેણે ઉપયોગમાં લીધેલા દ્રાવણનો પ્રકાર શોધી શકશો ?
તે માણસ દ્વારા ઍક્વારિજિયાના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવ્યો હશે.
ઍક્વારિજિયાનું દ્રાવણ એ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $HNO_3$ નું $3:1$ નો ગુણોત્તર ધરાવતું દ્રાવણ છે.
આ એક માત્ર દ્રાવણ છે કે જે માત્ર ગોલ્ડ (સોના)ને દ્રાવ્ય કરી શકે છે.
આથી, આ પ્રક્રિયા દરમિયાન સોનાની બંગડીઓમાંથી સોનું દ્રાવ્ય થવાથી તેમના વજનમાં ભારે ઘટાડો થતો જોવા મળે છે.
નીચેનાં પદોને વ્યાખ્યાયિત કરો :
$(i)$ ખનીજ $(ii)$ કાચી ધાતુ (અયસ્ક) $(iii)$ ગેંગ
કારણ આપો : ઍલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે તેમ છતાં રસોઈનાં વાસણો બનાવવા માટે વપરાય છે.
એવી બે ધાતુઓ જે મંદ ઍસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને બે ધાતુઓ જે આમ ન કરી શકતી હોય તેમનાં નામ આપો.
લોખંડનું ક્ષારણ અટકાવવાના બે ઉપાય જણાવો.
જ્યારે આયર્ન$(II) $ સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો ? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો.