એક વ્યક્તિ ઘરે-ઘરે સુવર્ણકાર તરીકે જઈને ઊભો રહે છે. તે જૂના અને નિસ્તેજ (ઝાંખા) સોનાનાં ઘરેણાની ચમક પાછી લાવી આપવાનું વચન આપે છે. એક બિનસાવધ ગૃહિણી તેને સોનાની બંગડીઓનો સેટ આપે છે, જેને તેણે એક ખાસ દ્રાવણમાં ડુબાડ્યો. બંગડીઓ નવા જેવી જ ચમકવા લાગી પરંતુ તેના વજનમાં ભારે ઘટાડો થયો. ગૃહિણી ઉદાસ થઈ ગઈ પરંતુ નિરર્થક દલીલ પછી વ્યક્તિ ઉતાવળે ફેરો કરી જતો રહ્યો. શું તમે ગુપ્તચર તરીકે વર્તી તેણે ઉપયોગમાં લીધેલા દ્રાવણનો પ્રકાર શોધી શકશો ?
તે માણસ દ્વારા ઍક્વારિજિયાના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવ્યો હશે.
ઍક્વારિજિયાનું દ્રાવણ એ સાંદ્ર $HCl$ અને સાંદ્ર $HNO_3$ નું $3:1$ નો ગુણોત્તર ધરાવતું દ્રાવણ છે.
આ એક માત્ર દ્રાવણ છે કે જે માત્ર ગોલ્ડ (સોના)ને દ્રાવ્ય કરી શકે છે.
આથી, આ પ્રક્રિયા દરમિયાન સોનાની બંગડીઓમાંથી સોનું દ્રાવ્ય થવાથી તેમના વજનમાં ભારે ઘટાડો થતો જોવા મળે છે.
તમને એક હથોડી, બૅટરી, ગોળો, તાર અને સ્વિચ આપેલા છે.
$(a)$ તમે તેમનો ધાતુઓ અને અધાતુ વચ્ચે ભેદ પારખવા કેવી રીતે ઉપયોગ કરી શકશો ?
$(b)$ ધાતુઓ અને અધાતુઓ વચ્ચેની આ પરખ કસોટીઓની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરો.
એવી બે ધાતુઓ જે મંદ ઍસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને બે ધાતુઓ જે આમ ન કરી શકતી હોય તેમનાં નામ આપો.
નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી (Frying Pan)ને કાટ લાગવાથી અટકાવી શકે છે ?
તમે ચોક્કસપણે નિસ્તેજ (ઝાંખા) તાંબાના વાસણો લીંબુ અથવા આમલીના રસ વડે શુદ્ધ થતાં જોયાં છે. સમજાવો કે શા માટે આવા ખાટા પદાર્થો વાસણો. શુદ્ધ કરવા માટે અસરકારક છે ?
નીચેનાં પદોને વ્યાખ્યાયિત કરો :
$(i)$ ખનીજ $(ii)$ કાચી ધાતુ (અયસ્ક) $(iii)$ ગેંગ