એક પાત્રમાં પાણી ભરીને તેને વજનકાંટા પર મૂકવામાં આવે છે અને વજનને શૂન્ય પર ગોઠવવામાં $( \mathrm{Adjust} )$ આવે છે. $\mathrm{k}$ બળ અચળાંવાળી, દળરહિત ધિંગના છેડે $\mathrm{M}$ દળ અને $\rho $ ઘનતાવાળો બ્લોક લટકાવવામાં આવે છે. આ પરિસ્થિતિમાં બ્લોકને લટકતો રાખીને પાણીમાં ડૂબાડવામાં આવે છે, તો વજનકાંટાનું રીડિંગ $( \mathrm{Reading} )$ શું થશે ?
આપેલી આકૃતિ ધ્યાનમાં લો.
વજનકાંટાને શૂન્ય પર ગોઠવવામાં આવેલ છે. તેથી, જ્યારે સ્પ્રિંગના છેડે લટકાવેલો બ્લોક પાણીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે વિસ્થાપિત પાણી બ્લૉક પર જે ઊર્ધ્દિશામાં બળ લગાડે છે તેટલું રીડિંગ જોવા મળે છે.
પાણી વડે બ્લૉક પર ઊર્ધ્વદિશામાં લાગતું બળ $=$ વિસ્થાપિત પાણીનું વજન
$=( V ) g_{ w } g$ $( V =$બ્લોકનું કદ)
$=\frac{m}{g} \rho_{ w } g$$( \rho _{ w }=$પાણીની ઘનતા)
$=\left(\frac{\rho_{ w }}{\rho}\right) m g$ $(\rho=$બ્લોકની ધનતા)
ત્રાજવામાં મૂકેલા બે પદાર્થો પાણીમાં સમતોલનમાં રહે છે,એક પદાર્થનું દળ $36 g$ અને ઘનતા $9 \,g / cm^{3}$છે,જો બીજા પદાર્થનું દળ $48 \,g$ હોય,તો તેની ઘનતા ..... $g / cm^{3}$ હશે.
સરોવરના પાણીમાં તરતી બોટમાં એક વ્યક્તિ બેઠી છે. આ વ્યક્તિ સરોવરમાંથી પાણીની એક ડોલ ભરીને બોટમાં મૂકે છે, તો સરોવરમાં પાણીની સપાટી નીચી જશે ? તે જાણવો ?
$10\,cm \times 10 \,cm \times 15 \,cm$ કદનો એક લંબચોરસ બ્લોક $10 \,cm$ બાજુના શિરોલંબ સાથેના પાણીમાં તરે છે. જો તે $15 \,cm$ બાજુના શિરોબંબ સાથેના પાણીમાં તરે છે તો પાણીનું સ્તર .........
તાર વડે લટકાવેલો એક પદાર્થ તેને $10 \,mm$ જેટલો ખેંચે છે, જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે તારમાં ખેંચાણા $\frac{10}{3} \,mm$ જેટલું ઘટે છે તો પદાર્થ અને પ્રવાહીની સાપેક્ષ ઘનતાઓનો ગુણોત્તર કેટલો છે ?
આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો.