- Home
- Standard 9
- Science
નીચેનો આસૃતિનો પ્રયોગ કરો :
બટાટાને લઈને તેની છાલ સહિત ચાર ટુકડા કરો અને બટાટાના કપ્સ તેને ખોતરીને બનાવો. આમાંનો એક બટાટાનો કપ બાફેલા બટાટાનો બનાવો. પ્રત્યેક બટાટાના કપને પાણી ભરેલ પાત્રમાં મૂકો.
$(a)$ કપ $A$ ને ખાલી રાખો.
$(b)$ કપ $B$ માં એક ચમચી શર્કરા મૂકો.
$(c)$ કપ $C$ માં એક ચમચી મીઠું મૂકો.
$(d)$ કપ $D$ માં જે ઉકાળેલો કે બાફેલા બટાટાનો કપ છે તેમાં એક ચમચી શર્કરા મૂકો.
આ ચારેય કપને બે કલાક માટે રહેવા દો. ત્યાર બાદ આ ચારેય બાફેલા બટાટાના કપ્સને અવલોકિત કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો :
$(i)$ શા માટે કપ $B$ અને $C$ માં ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે ? સમજાવો.
$(ii)$ શા માટે બટાટાનો કપ $A$ આ પ્રયોગ માટે આવશ્યક છે ?
$(iii)$ કપ $A$ અને $D$ માં ખાલી જગ્યામાં પાણી શા માટે એકઠું થતું નથી ? સમજાવો.
Solution

$(i)$ બટાટાના કોષો પસંદગીમાને અર્ધપારદર્શક પટલ તરીકે કાર્ય કરી કપ $B$ અને કપ $C$ માં અનુક્રમે શર્કરા અને મીઠું રાખેલ છે. તેમાં અંતઃઆસૃતિ દ્વારા પાણી દાખલ થશે. કારણ કે કપ $B$ અને કપ $C$ માં અનુક્રમે ખાંડનું સાંદ્ર દ્રાવણ અને મીઠાનું સાંદ્ર દ્રાવણ રહેલ છે.
$(ii)$ કપ $A$ માં રાખેલ બટાટાના ખાડામાં તફાવત માટે ખાલી રાખેલ છે. તેમાં દ્રાવણની સાંદ્રતા ન હોવાથી અંતઃઆકૃતિ જોવા મળતી નથી. આસૃતિ માટે બટાટાના ખાડામાં રહેલ દ્રાવણની સાંદ્રતા વધુ હોવી જોઈએ.
$(iii)$ કપ $D$ માં બાફેલા બટાટાના ખાંડના કોષો મૃત હોવાથી તેના કોષોની પસંદગીમાન અર્ધપ્રવેશયશીલપટલ કાર્ય કરી શકતો નથી. આથી આકૃતિની પ્રક્રિયા થતી નથી અને તેમાં પાણી પણ આવેલ નથી તે દર્શાવે છે.