લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોના સમૂહ લઘુબીજાણુધાનીની મધ્યમાં સ્થાન લે છે. જેને બીજાણુજનક (sporogenous tissue) કહે છે.

લઘુબીજાણુજનન (microsperogenesis) : પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક (microspore tetrads / pollen tetrads) સર્જે છે.

બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુબીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે.

જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુબીજાણુ માતૃકોષ છે.

પરાગ માતૃકોષ (pollen mother cell - PMC)માંથી અર્ધીકરણ દ્વારા લઘુબીજાણુ સર્જાવાની પ્રક્રિયાને લઘુબીજાણુજનન (microsporogenesis) કહે છે.

લઘુબીજાણુ સર્જાય ત્યારે ચાર કોષોના સમૂહ સ્વરૂપે હોય છે, જેને લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહે છે.

પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે લઘુબીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે અને પરાગરજમાં વિકાસ પામે છે.

દરેક લઘુબીજાણુધાનીમાં હજારોની સંખ્યામાં પરાગરજનું નિર્માણ થાય છે. જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે.

964-26g

Similar Questions

નરજન્યુની પ્લોઈડી શું હોય છે?

ભારતમાં રહેલા મહત્વના હવામાના એલર્જી પ્રેરક કારકો.....છે.

$100\, PMC$ માં અર્ધીકરણ થવાથી કેટલા પરાગચતુષ્ક નિર્માણ પામશે?

અસંલગ્ન વસ્તુ શોધો.

  • [AIPMT 1991]

પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?