જન્મજાત પ્રતિકારકતા સમજાવો.
જન્મજાત પ્રતિકારકતા બિનચોક્કસ (non-specific) રક્ષણ છે, જે જન્મસમયે હાજર જ હોય છે. આ પ્રતિકારકતા આપણા શરીરમાં બાહ્ય કારકોના પ્રવેશ સામે વિવિધ પ્રકારના અવરોધો (અંતરાયો = barriers) સર્જાવાથી પ્રાપ્ત થાય છે. આ પ્રતિકારકતામાં ચાર પ્રકારના અવરોધો કે અંતરાયો સર્જાય છે.
$(i)$ શારીરિક અંતરાય (Physical barrier) : આપણી ત્વચા એ મુખ્ય ભૌતિક અંતરાય છે, જે સૂક્ષ્મ જીવોના પ્રવેશને અટકાવે છે. શ્વસનમાર્ગ, જઠરાંત્રિય માર્ગ અને મૂત્રજનન માર્ગના અસ્તરમાં આવેલ અધિચ્છદ પેશીનું શ્લેષ્માવરણ પણ શરીરમાં પ્રવેશતા જીવાણુઓને અટકાવવામાં મદદ કરે છે.
$(ii)$ દેહધાર્મિક અંતરાય (Physiological barrier) : જઠરમાંના અમ્લ (ઍસિડ), મુખમાંની લાળ, આંખોના અશ્રુ વગેરે રોગકારકોની વૃદ્ધિને અવરોધે છે.
$(iii)$ કોષાંતરીય અંતરાય (Cellular barriers) : આપણા દેહમાંના કેટલાક શ્વેતકણો (WBCs) જેવા કૅ બહુરૂપી કેન્દ્રિય શ્વેતકણ (poly morphonuclear leukocytes $-PMNL$ તટસ્થકણો) અને એકકેન્દ્રીય કણો (monocytes) તેમજ રુધિરમાં રહેલા લસિકાકોષોના પ્રકાર તરીકે નૈસર્ગિક મારક કોષો (natural killerlymphocytes) ઉપરાંત પેશીઓમાં બૃહદ્ કોષો (macrophages) એ જીવાણુઓનું ભક્ષણ અને તેઓનો નાશ કરી શકે છે.
$(iv)$ કોષરસીય અંતરાય (cytokine barrier) : વાઇરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન (interferons) કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે છે કે જે અન્ય બિનચેપી કોષોને વાઇરસના ચેપથી રક્ષિત કરે છે.
સ્વપ્રતિરક્ષા માટે કયું કારણ જવાબદાર છે?
સસ્તન પ્રાણીઓના $T-$ લસિકાકણો માટે શું સાચું છે?
વિધાન $A$ : બરોળ લિમ્ફોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે.
કારણ $R$ : બરોળ રુધિરમાં પ્રવેશતા સૂક્ષ્મ જીવોને જકડી રુધિરની ગળણી તરીકે કાર્ય કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
શરીરમાં આવેલા શું સૌથી મોટું લસિકા અંગ છે ?
શ્લેષ્મ કયા આવેલું છે?