કસનળી $A$ અને $B$માં સમાન લંબાઈની મેંગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કસનળી $A$ માં હાઇડ્રોક્લોરિક ઍસિડ $(HCl)$ ઉમેરવામાં આવે છે અને કસનળી $B$ માં એસિટિક ઍસિડ $(CH_3COOH)$ ઉમેરવામાં આવે છે. કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે ? અને શા માટે ?
$(i)$ કસનળી $A$ માં થતી પ્રક્રિયા :
$2 HCl (a q)+ Mg (s) \rightarrow MgCl _{2}(a q)+ H _{2}(g)$
$(ii)$ કસનળી $B$ માં થતી રાસાયણિક પ્રક્રિયા :
$2 CH _{3} COOH (a q)+ Mg (s) \rightarrow\left( CH _{3} COO \right)_{2} Mg (a q)+ H _{2}(g)$
આમ, બંને કસનળીઓમાં $H_2$ વાયુ ઉદ્ભવવાને કારણે ઊભરા આવતા જોવા મળે છે. પરંતુ કસનળી $A$ માં કસનળી $B$ ની સરખામણીમાં વધુ શક્તિશાળી ઊભરા જોવા મળે છે.
કારણ કે કસનળી $A$ માંનો $HCl$ એ પ્રબળ ઍસિડ હોવાથી તેનું વિયોજન વધુ પ્રમાણમાં થાય છે. પરિણામે $H_2$ વાયુ ઉત્પન્ન થવાની પ્રબળતા વધુ હોય છે.
જયારે કસનળી $B$ માંનો $CH_3COOH$ એ નિર્બળ ઍસિડ હોવાથી તેનું વિયોજન અલ્પપ્રમાણમાં થાય છે. આથી $H_2$ વાયુ ઉત્પન્ન થવાની પ્રબળતા ઓછી હોય છે.
$10 \,mL$ $NaOH$ ના દ્રાવણનું $8 \,mL$ આપેલ $HCl$ ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ $NaOH$ નું $20 \,mL$ દ્રાવણ લઈએ, તો તેને તટસ્થ કરવા માટે $HCl$ ના દ્રાવણ (પહેલા હતું તે જ દ્રાવણ)ની જરૂરી માત્રા ......... $mL$.
તટસ્થીકરણ પ્રક્રિયા શું છે ? બે ઉદાહરણ આપો.
ધાતનું એક સંયોજન $A$ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરીને ઊભરા (effervescence) ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતાં સંયોજનો પૈકી એક કૅલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.
શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ ?
શા માટે $HCl$, $HNO_3$ વગેરે જલીય દ્રાવણોમાં ઍસિડિક લક્ષણો ધરાવે છે, જ્યારે આલ્કોહોલ તેમજ ગ્લુકોઝ જેવાં સંયોજનોનાં દ્રાવણો ઍસિડિક લક્ષણો ધરાવતાં નથી ?