અપચાના ઉપચાર માટે નીચેના પૈકી ક્યા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે ?
એન્ટિબાયોટિક (પ્રતિજીવી)
એન્ટાસિડ (પ્રતિઍસિડ)
એનાલ્જસિક (વેદનાહર)
એન્ટિસેપ્ટિક (જીવાણુનાશી)
તમારી પાસે બે દ્રાવણો $A$ અને $B$ છે. દ્રાવણ $A$ ની $pH$ $6$ અને દ્રાવણ $B$ ની $pH$ $8$ છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે ? આ પૈકી કયું ઍસિડિક અને કયું બેઝિક છે ?
સખત પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી સોડિયમ સંયોજનનું નામ આપો.
સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં શું થશે ? તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો.
શા માટે શુષ્ક $HCl$ વાયુ શુષ્ક લિટમસપેપરનો રંગ બદલતો નથી ?
જ્યારે સોડિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણમાં વધુ પ્રમાણમાં બેઇઝ ઓગાળવામાં આવે ત્યારે હાઇડ્રૉક્સાઇડ આયનો $(OH^-)$ ની સાંદ્રતાને કેવી રીતે અસર થાય છે ?