સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇઇલેક્ટ્રિકની અસર સમજાવો અને ડાઇઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર લખો.
દરેક ક્ષેત્રફળ $A$ હોય તેવી બે મોટી પ્લેટોને એક્બીજી $d$ અંતરે મૂકેલી છે અને પ્લેટો પરનો વિદ્યુતભાર $\pm Q$ છે અને વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા $\pm \sigma$ છે.
જ્યારે બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે તેમની વચ્ચે ઉદભવતું વિદ્યુતક્ષેત્ર,
$E _{0}=\frac{\sigma}{\epsilon_{0}}$
અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V _{0}$ છે.
$\therefore V _{0}= E _{0} d$
જો કૅપેસિટરનું કૅપેસિટન્સ $C _{0}$ હોય તો,
$C_0=\frac{Q}{V_{0}}$
$=\frac{\sigma A}{E_{0} d} \quad[\because Q=\sigma A]$
$C_0=\frac{\epsilon_{0} A}{d} \quad \ldots .(1)\left[\because E_{0}=\frac{\sigma}{\epsilon_{0}} \Rightarrow \epsilon_{0}=\frac{\sigma}{E_{0}}\right]$
બે પ્લેટો વચ્ચેનો વિસ્તાર સંપૂર્ણ રીતે ડાઈલેક્ટ્રિકથી ભરી દેવામાં આવે, તો ડાઈઈલેક્ટ્રિકનું ધ્રુવીભવન થવાથી તેની બંને પ્લેટો પર વિદ્યુતભારની પૃષ્ઠધનતા $\pm \sigma_{ P }$ થશે.
તેથી, બે પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર,
$E= E _{0}- E _{ P }$
$\therefore E=\frac{\sigma}{\epsilon_{0}}-\frac{\sigma_{ p }}{\epsilon_{0}} \quad\left[\because E _{ P }=\frac{\sigma_{ P }}{\epsilon_{0}}\right]$
$\therefore E=\frac{\sigma-\sigma_{ P }}{\epsilon_{0}}$
અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત,
$V = E d$
$=\frac{\sigma-\sigma_{ P }}{\epsilon_{0}} \cdot d$
રેખીય ડાઈઇલેક્ટ્રિક માટે $\sigma$ એ $E _{0}$ ને સમપ્રમાણમાં છે તેથી $\sigma-\sigma_{ P }$ એ પણ $E$ ના સમપ્રમાણમાં જ હોય. તેથી $\sigma-\sigma_{ P }=\frac{\sigma}{ K }$ લઈ શકીએ.
તેથી $V =\frac{\sigma d}{\epsilon_{0} K }=\frac{ Q d}{ A \epsilon_{0} K } \quad\left[\because \sigma=\frac{ Q }{ A }\right]$
ડાઈઈલેક્ટ્રિકના માધ્યમવાળા કૅપેસિટરનું કૅપેસિટન્સ,
$C =\frac{ Q }{ V }=\frac{ A \in_{0} K }{d}= K \frac{ A \in_{0}}{d}$
$\therefore C = KC _{0}... (2)$ પરિણામ $(1)$ પરથી.
આમ,$K$ ડાઇઈલેક્ટ્રિકના માધ્યમવાળા કૅપેસિટરનું કૅપેસિટન્સ, શૂન્યાવકાશના માધ્યમવાળા કૅપેસિટરના કૅપેસિટન્સ કરતાં $K$ ગણું વધે છે.
ગોળાકાર કેપેસિટરની ત્રિજ્યાઓ $0.5\, m$ અને $0.6\, m$ છે. જો ખાલી જગ્યાને $6$ ડાઈ ઈલેકટ્રીક અચળાંકના માધ્યમથી ભરવામાં આવે તો, કેપેસિટરની કેપેસિટિ કેટલી હશે ?
જયારે કેપેસિટરનું ડાઇઇલેકિટ્રક અચળાંક $K = 3$ થી ભરતાં વિદ્યુતભાર ${Q_0}$,વોલ્ટેજ ${V_0}$ અને વિદ્યુતક્ષેત્ર ${E_0}$ છે.હવે કેપેસિટરને ડાઇઇલેકિટ્રક અચળાંક $K = 9$ થી ભરતાં વિદ્યુતભાર,વોલ્ટેજ અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલા થાય?
સમાન વિદ્યુતભાર ધારણ કરતાં સમાન ત્રિજ્યા ધરાવતા પારાના આઠ ટિપાઓ ભેગા મળીને એક મોટુ ટિપુ રચે છે. તો મોટા ટિપાનું કેપેસિટન્સ દરેક અલગ ટિપાની સરખામણીમાં કેટલા ........ગણું છે ?
દરેક $40 \,\mu F$ ના બે સંઘારકોને શ્રેણીમાં જોડવામાં આવેલા છે. બે માંથી કોઈ એક સંઘારકને $K$ જેટલા ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા અવાહક વડે એવી રીતે ભરવામાં આવે છે કે જેથી તંત્રની સમતુલ્ય સંઘારકતા $24 \,\mu F$ થાય. $K$ નું મૂલ્ય ......... હશે.
બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરમાં $\frac{3}{4} d$ જાડાઈ અને $K$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો સ્લેબ મૂકવામાં આવે છે તો નવો કેપેસીટન્સ $(C')$ અને જૂના કેપેસીટન્સ $\left( C _{0}\right)$ વચ્ચેનો સંબંધ શું થશે?